શોધખોળ કરો
5 ફેરફારો સાથે રિલીઝ થશે ‘પદ્માવત’, સેન્સર બોર્ડે આપ્યું U/A સર્ટિફિકેટ
1/7

સેન્સર બોર્ડની 28 ડિસેમ્બર, 2017ના રોજ મળેલી બેઠકમાં ફિલ્મમાં જરૂરી ફેરફાર થયા બાદ તેને U/A સર્ટિફિકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશી, ઈતિહાસકાર અરવિંદ સિંહ, ડો. ચંદ્રમણિ સિંહ, ડો. કે કે સિંહ હાજર રહ્યા હતા.
2/7

નવી દિલ્હી: સંજય લીલા ભંસાલીની વિવાદિત અને ખૂબ અપેક્ષિત ફિલ્મ ‘પદ્માવતી’ હવે કેટલાક ફેરફારો સાથે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ વિરોધના કારણે 1 ડિસેમ્બરે રિલીઝ નહોતી થઈ શકી. ડિસેમ્બર 2017માં સેન્સર બોર્ડે રિવ્યુ કમિટીની કેટલીક ભલામણો સ્વીકારી હતી. 28 ડિસેમ્બરે થયેલી મીટિંગમાં કમિટીએ ફિલ્મ પર કેટલાક સલાહ સૂચન કર્યા હતા. બોર્ડનો હેતુ ફિલ્મ સાથે સંકળાયેલા વિવાદને ખતમ કરવાનો હતો. સેન્સર બોર્ડે મેકર્સને તેમાં ડિસ્કલેમર નાંખવામાં આવે, ઘૂમર ગીતમાં ફેરફાર સહિત 5 મોટા સૂધારા સુચવ્યા હતા. મોટા વિવાદોમાં સપંડાયેલી ફિલ્મ ‘પદ્માવતી’ની રિલીઝ થવાની તારીખ આવતા બોલિવૂડ જગત સહિત સિને રસિકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
Published at : 08 Jan 2018 10:32 AM (IST)
View More






















