શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રામાયણના આ પાત્રમાંથી સેહવાગે લીધી હતી બેટિંગની પ્રેરણા, હવે કર્યો ખુલાસો, જાણો વિગતે
હાલ દેશમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે દૂરદર્શન પરથી 80 અને 90ના દાયકારની જાણીતી ધાર્મિક સીરિયલ રામાયણનું પ્રસારણ થાય છે.
![રામાયણના આ પાત્રમાંથી સેહવાગે લીધી હતી બેટિંગની પ્રેરણા, હવે કર્યો ખુલાસો, જાણો વિગતે Sehwag took batting inspiration from Angad of Ramayan shares pics રામાયણના આ પાત્રમાંથી સેહવાગે લીધી હતી બેટિંગની પ્રેરણા, હવે કર્યો ખુલાસો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/13160516/ramayan-sehwag.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. ટેસ્ટ ક્રિકેટમાં બે વખત ત્રણ બેવડી સદી ફટકારનારો સેહવાગ એક વખત પિચ પર સેટ થઈ ગયા બાદ ફરીથી તેને આઉટ કરવો સરળ નહોતો. સેહવાગની આક્રમક બેટિંગમાંથી આજના ઘણા યુવા ક્રિકેટર પ્રેરણા લે છે. પરંતુ સેહવાગે ટ્વિટર પર ખુદ તેના બેટિંગ પ્રેરણાસ્ત્રોતનો ખુલાસો કર્યો છે.
હાલ દેશમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે દૂરદર્શન પરથી 80 અને 90ના દાયકારની જાણીતી ધાર્મિક સીરિયલ રામાયણનું પ્રસારણ થાય છે. જેમાં હાલ ભગવાન રામ પોતાની પત્ની સીતાને લેવા લંકા પર આક્રમણ કરે છે તે એપિસોડ ચાલી રહ્યો છે. જેમાં અગંદ રાવણના દરબારમાં તેનો પગ સહેજ અમથો પણ ખસેડી બતાવાનો પડકાર ફેંકે છે.
આ સીનને લઈ સેહવાગે ટ્વિટ કરીને લખ્યું, મેં તો અહીંયાથી જ મારી બેટિંગની પ્રેરણા લીધી હતી. પગ હલાવવો મુશ્કેલ જ નહીં, અશક્ય છે.... અંગદ જી રૉક્સ! સેહવાગનું આ ટ્વિટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
સેહવાગે 104 ટેસ્ટમાં 49.3ની એવરેજથી 8586 રન બનાવ્યા છે. જ્યારે 251 વન ડેમાં તેણે 35ની સરેરાશથી 8273 રન ફટકાર્યા છે. સેહવાગે ઈન્ટરનેશલ કરિયરમાં કુલ 38 સદી ફટકારી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)