શોધખોળ કરો

પટનામાં થયુ સુશાંત સિંહ રાજપૂતની અસ્થિઓનું વિસર્જન

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અસ્થિનું પટનામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સુશાંતના પિતાએ અસ્થિ વિસર્જન કર્યું હતું.

પટના: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અસ્થિનું પટનામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સુશાંતના પિતાએ અસ્થિ વિસર્જન કર્યું હતું. સોમવારે દિવંગત અભિનેતાના પરિવાર દ્વારા મુંબઈના વિલે પાર્લેમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને બુધવારે જ બધા પોતાના હોમટાઉન પટના રવાના થયા હતા. આ દરમિયાન સુશાંતની બહેનો અને પિતા સદમામાં જોવા મળ્યા હતા. આ વાતની જાણકારી સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ આપી હતી. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લખ્યું, 'કાલે અમે પટનામાં અમારા ઘરે સુરક્ષિત પહોંચી ગયા. એ તમામનો ધન્યવાદ, જેમણે અમારા માટે દુઆઓ કરી અને આ પ્રક્રિયામાં અમારી મદદ કરી. બધુ સરળતાથી થઈ ગયું. આજે અમે ભાઈની અસ્થિનું વિસર્જન કરશું. બધાને મારો ફરી એક વખત અનુરોધ છે કે તેમના માટે દુઆ કરો અને પોતાના દિલમાં તેના માટે નિસ્વાર્થ પ્રેમ અને ખૂબસુરત યાદો સાથે તેને વિદાય આપો. આવો, તેની જિંદગીનો જશ્ન મનાવી આપણે તેને એક ખુશનુમા વિદાય આપીએ.' અભિનેતાની અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરવામાં આવ્યું. સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈમાં બાંદ્રા સ્થિત પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેઓ માત્ર 34 વર્ષના હતા. સુશાંતે આ પગલુ શા માટે ભર્યું તેની કોઈ જાણકારી સામે નથી આવી પરંતુ પોલીસ પર્સનલ અને પ્રોફેશનલ દરેક રીતે આ મામલામાં તપાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂતે 2013માં ફિલ્મ કાઈ પો છેથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાના કરિયર દરમિયાન તેણે શુદ્ધ દેશી રોમાન્સ, પીકે, એમ એસ ધોની ધ અનટોલ્ટ સ્ટોરી, કેદારનાથ અને છિછોરે જોવી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું. સુશાંતની આગામી ફિલ્મ દિલ બેચારા પણ રિલીઝ માટે લગભગ તૈયાર છે. આ સિવાય સુશાંતની લવ લાઈફની વાત કરીએ તો તે અભિનેત્રી રિયા ચક્રબર્તી સાથે પોતાના રિલેશનને લઈને ચર્ચામાં રહેતા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષા આપવાની હોય તો આ તારીખ નોંધી લો, નહીં તો આખું વર્ષ બગડશે
ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષા આપવાની હોય તો આ તારીખ નોંધી લો, નહીં તો આખું વર્ષ બગડશે
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષા આપવાની હોય તો આ તારીખ નોંધી લો, નહીં તો આખું વર્ષ બગડશે
ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષા આપવાની હોય તો આ તારીખ નોંધી લો, નહીં તો આખું વર્ષ બગડશે
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Embed widget