શોધખોળ કરો

Mayilsamy Passed Away: દક્ષિણ ફિલ્મ ઉદ્યોગને વધુ એક ફટકો, કોમેડિયન મયિલસામીનું 57 વર્ષની વયે નિધન

Actor Mayilsamy Passed Away: લોકપ્રિય તમિલ હાસ્ય કલાકાર આર મયિલસામીનું રવિવારે સવારે, 19 ફેબ્રુઆરીએ અવસાન થયું. તેઓ 57 વર્ષના હતા.

Actor Mayilsamy Passed Away:  લોકપ્રિય તમિલ હાસ્ય કલાકાર આર મયિલસામીનું રવિવારે સવારે, 19 ફેબ્રુઆરીએ અવસાન થયું. તેઓ 57 વર્ષના હતા. તમિલસ્ટારના અહેવાલો મુજબ પીઢ અભિનેતાનું નાદુરસ્ત તબિયતના કારણે નિધન થયું છે. વેપાર વિશ્લેષક રમેશ બાલાએ પણ મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે અભિનેતાની ગત રોજ તબિયત લથડી હતી જેને પગલે તેઓને તાત્કાલિક પોરુર રામચંદ્ર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મયિલસામીનું મૃત્યુ થયું અને ડોક્ટરોએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી.

લોકપ્રિય તમિલ હાસ્ય કલાકાર આર મયિલસામીનું નિધન 

રમેશે ટ્વીટ કર્યું, "સ્વર્ગસ્થ અભિનેતા #Mayilsamy નો છેલ્લો વીડિયો..તેને બેચેની લાગતી હતી..તેમના પરિવારજનો તેને પોરુર રામચંદ્ર હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ તેમનું મૃત્યુ થઈ ગયું..બાદમાં, ડોક્ટરોએ પુષ્ટિ કરી.. તે ઘણી ફિલ્મોમાં વ્યસ્ત હતા." .. જ્યારે અવસાન થયું ત્યારે ટીવી ચેનલોએ તેમને સૌથી પહેલા ફોન કર્યો હતો.. RIP!”

57 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ 

39 વર્ષની તેમની કારકિર્દીમાં મયિલસામી 200થી વધુ ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. તેમના કોમિક ટાઈમિંગે તેમને સીન-સ્ટીયરનું બિરુદ પણ મેળવ્યું છે. મયિલસામીના મૃત્યુની પુષ્ટિ થયાની ક્ષણો પછી, નેટિઝન્સએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો. એક નેટીઝને ટ્વિટ કરીને સ્વર્ગસ્થ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી, "અમે એક સારા માણસને ગુમાવ્યો છે. તેમના આત્માને શાંતિ મળે # મયિલસામી સર." અન્ય એક યુઝરે લખ્યું, "આઘાતજનક અને હૃદયદ્રાવક #mayilsamy સાહેબ."

અંતિમ વીડિયો વાયરલ 

ગઈકાલે માયિલસામીએ તેની આગામી ફિલ્મ ગ્લાસમેટનું ડબિંગ પૂર્ણ કર્યું. PR ફર્મ, DNext દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં, તેઓ ઉત્સાહ સાથે લાઇન રેકોર્ડ કરતાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: જુનિયર એનટીઆરના પિતરાઈ ભાઈ Nandamuri Taraka Ratnaનું નિધન, મહેશ બાબુથી લઈને ચિરંજીવીએ પાઠવી શ્રદ્ધાંજલિ

Nandamuri Taraka Ratna Passes Away: જુનિયર એનટીઆરના પિતરાઈ ભાઈ અને અભિનેતા-રાજકારણી નંદામુરી તારકા રત્નનું શનિવારે (18 ફેબ્રુઆરી) નિધન થયું. તેમને બેંગ્લોરની નારાયણ હૃદયાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના આકસ્મિક નિધનના સમાચારે બધાને શોક કરી દીધા છે અને ટોલીવુડની ઘણી હસ્તીઓ અને રાજકીય હસ્તીઓ શોક વ્યક્ત કરી રહ્યા છે.

જુનિયર એનટીઆરના પિતરાઈ ભાઈ Nandamuri Taraka Ratnaનું નિધન

મેગાસ્ટાર ચિરંજીવી કોનિડેલાએ ટ્વિટર પર લખ્યું, "#NandamuriTarakaRatna, આવા તેજસ્વી, પ્રતિભાશાળી, પ્રેમાળ યુવાનના દુ: ખદ અકાળ અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું.. ખૂબ

જલ્દી ચાલ્યા ગયા! પરિવારના તમામ સભ્યો અને ચાહકો માટે હૃદયપૂર્વક સંવેદના! આત્માને શાંતિ મળે."

મહેશ બાબુથી લઈને ચિરંજીવીએ પાઠવી શ્રદ્ધાંજલિ

મહેશ બાબુએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું, "તારકરત્નના અકાળે અવસાનથી આઘાત અને ઊંડું દુઃખ. ભાઈ બહુ જલ્દી ચાલ્યા ગયા... મારા વિચારો અને પ્રાર્થનાઓ આ દુઃખની ઘડીમાં પરિવાર અને પ્રિયજનો સાથે છે."

સાંઈ ધરમ તેજે ટ્વીટ કર્યું, "તારક રત્ન અણ્ણાના નિધનથી આઘાત લાગ્યો છે. બહુ જલદી ગયા. તેમના પરિવાર પ્રત્યે સંવેદના અને શક્તિ. તેમની આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ."

અલ્લુ અર્જુને લખ્યું, "તારક રત્ન ગરુના નિધન વિશે જાણીને હૃદય તૂટી ગયું. બહુ જલ્દી ચાલ્યા ગયા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. તેઓ શાંતિમાં રહે."

લોકસભા સાંસદ રઘુ રામા કૃષ્ણ રાજુએ તારકાની એક તસવીર શેર કરી અને લખ્યું, "#નંદમુરી તારક રત્નાના નિધનથી ખૂબ જ દુ:ખ થયું છે. બહુ જલ્દી ચાલ્યા ગયા. તેમના પરિવારના તમામ સભ્યો અને મિત્રો પ્રત્યે મારી દિલથી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે."

તેલંગાણાના ધારાસભ્ય હરીશ રાવ થેન્નેરુએ ટ્વીટ કર્યું, "અભિનેતા નંદામુરી તારક રત્નના નિધન વિશે જાણીને ખૂબ દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. તેમની આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ."

રેલીમાં હાર્ટ એટેક આવ્યો હતો

તારક રત્ના નંદમુરી તારક રામારાવ ઉર્ફે એનટીઆરના પૌત્ર છે. તેઓ અમરાવતીમાં તેમના કામ અને 9 અવર્સ નામની વેબ સિરીઝ માટે પ્રખ્યાત બન્યા હતા. 27 જાન્યુઆરીએ તેણે નારા લોકેશની યુવાગલમ પદયાત્રામાં ભાગ લીધો હતો. તેણે કુપ્પમની એક મસ્જિદમાં નમાજ અદા કરી અને મસ્જિદમાંથી બહાર આવ્યા બાદ તે અચાનક પડી ગયા હતા. તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકરો તેઓને હોસ્પિટલ લઈ ગયા અને પ્રાથમિક સારવાર આપી. ત્યારથી તારક લાઇફ સપોર્ટ પર હતા અને તેમણે 18 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
Embed widget