શોધખોળ કરો

Manoj Kumar Passes Away: મનોજ કુમારે ઈન્દિરા ગાંધી સરકાર પર કેમ કર્યો હતો કેસ, શું આવ્યો હતો ચુકાદો?

Manoj Kumar Passes Away: પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે પોતાની ફિલ્મો અને અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.

Manoj Kumar Passes Away: પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે પોતાની ફિલ્મો અને અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. મનોજ કુમાર એક એવા અભિનેતા રહ્યા છે જેમણે પોતાની ફિલ્મો દ્વારા દેશભક્તિ અને સામાજિક સંદેશા આપ્યા છે. તેમની ફિલ્મોની છાપ હંમેશા લોકોના હૃદયમાં રહેશે. બોલિવૂડમાં મનોજ કુમારના સાહસિક વલણ વિશે ઘણી વાર્તાઓ સાંભળવા મળે છે, પરંતુ એક વાર્તા એવી છે જે ઇન્દિરા ગાંધી સાથે સંબંધિત છે. આ ઘટના તે સમયની છે જ્યારે મનોજ કુમારે ઇન્દિરા ગાંધીની ઈમરજન્સીનો સખત વિરોધ કર્યો હતો.

 ઇમરજન્સી દરમિયાન મનોજ કુમારની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

 શરૂઆતના તબક્કામાં ઇન્દિરા ગાંધી અને મનોજ કુમાર વચ્ચે બધું બરાબર હતું. પરંતુ જ્યારે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજ્સી જાહેર કરી ત્યારે બધું થોડી જ વારમાં બદલાઈ ગયું.  કટોકટીનો વિરોધ કરી રહેલા ફિલ્મ કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થતાં જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ મનોજ કુમાર એટલા હિંમતવાન અભિનેતા હતા કે તેમણે ખુલ્લેઆમ કટોકટીનો વિરોધ કર્યો તેથી તેમની ફિલ્મો પર પણ પ્રતિબંધ લાગવા લાગ્યો. જ્યારે મનોજ કુમારની ફિલ્મ 'દસ નંબરી' રિલીઝ થઈ ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી જ્યારે 'શોર' રિલીઝ થઈ ત્યારે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

 સરકાર સામે કેસ જીતનાર એકમાત્ર અભિનેતા

 'શોર' ના દિગ્દર્શક અને નિર્માતા બંને મનોજ કુમાર હતા. આવી સ્થિતિમાં ફિલ્મને થિયેટરોમાં પ્રતિબંધિત કર્યા પછી તે સમયે તેને દૂરદર્શન પર તાત્કાલિક રિલીઝ કરવામાં આવી હતી. આ કારણે કોઈ કમાણી નહોતી થઈ અને રિલીઝ પછી તેને ભારે નુકસાન થયું. હવે મનોજ કુમાર પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. તે કોર્ટમાં ગયા. જોકે, મનોજ કુમારને આનો ફાયદો થયો અને તેમના પક્ષમાં નિર્ણય આવ્યો હતો. એટલા માટે તેમના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેઓ દેશના એકમાત્ર એવા અભિનેતા છે જેમણે સરકાર સામે કેસ જીત્યો છે. જોકે પાછળથી મનોજ કુમારને સરકારે કટોકટી પર ફિલ્મ બનાવવાનું કહ્યું હતું પરંતુ તેમણે તે ઓફર નકારી કાઢી હતી.

 અમૃતા પ્રીતમને સખત ઠપકો આપવામાં આવ્યો 

એટલું જ નહીં, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો જ્યારે મનોજ કુમારને માહિતી અને પ્રસારણ તરફથી ફોન આવ્યો કે શું તેઓ કટોકટી પર બની રહેલી દસ્તાવેજી ફિલ્મનું નિર્દેશન કરશે, ત્યારે તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી. જ્યારે તેમને ખબર પડી કે આ સ્ક્રિપ્ટ બીજા કોઈ નહીં પણ તે સમયના પ્રખ્યાત લેખિકા અમૃતા પ્રીતમ લખી રહ્યા છે, ત્યારે તેમણે ગુસ્સામાં અમૃતા પ્રીતમને ફોન કર્યો. તેમણે સીધું અમૃતા પ્રીતમને પૂછ્યું, "શું તમે તમારી જાતને વેચી દીધી છે?" મનોજ કુમારની આવી વાત સાંભળીને અમૃતા પણ દુઃખી થઈ ગયા અને એવું કહેવાય છે કે મનોજ કુમારે તેને આ ડોક્યુમેન્ટરીની સ્ક્રિપ્ટ ફાડી નાખવાનું પણ કહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
Embed widget