શોધખોળ કરો

Manoj Kumar Passes Away: મનોજ કુમારે ઈન્દિરા ગાંધી સરકાર પર કેમ કર્યો હતો કેસ, શું આવ્યો હતો ચુકાદો?

Manoj Kumar Passes Away: પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે પોતાની ફિલ્મો અને અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.

Manoj Kumar Passes Away: પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે પોતાની ફિલ્મો અને અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. મનોજ કુમાર એક એવા અભિનેતા રહ્યા છે જેમણે પોતાની ફિલ્મો દ્વારા દેશભક્તિ અને સામાજિક સંદેશા આપ્યા છે. તેમની ફિલ્મોની છાપ હંમેશા લોકોના હૃદયમાં રહેશે. બોલિવૂડમાં મનોજ કુમારના સાહસિક વલણ વિશે ઘણી વાર્તાઓ સાંભળવા મળે છે, પરંતુ એક વાર્તા એવી છે જે ઇન્દિરા ગાંધી સાથે સંબંધિત છે. આ ઘટના તે સમયની છે જ્યારે મનોજ કુમારે ઇન્દિરા ગાંધીની ઈમરજન્સીનો સખત વિરોધ કર્યો હતો.

 ઇમરજન્સી દરમિયાન મનોજ કુમારની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

 શરૂઆતના તબક્કામાં ઇન્દિરા ગાંધી અને મનોજ કુમાર વચ્ચે બધું બરાબર હતું. પરંતુ જ્યારે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજ્સી જાહેર કરી ત્યારે બધું થોડી જ વારમાં બદલાઈ ગયું.  કટોકટીનો વિરોધ કરી રહેલા ફિલ્મ કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થતાં જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ મનોજ કુમાર એટલા હિંમતવાન અભિનેતા હતા કે તેમણે ખુલ્લેઆમ કટોકટીનો વિરોધ કર્યો તેથી તેમની ફિલ્મો પર પણ પ્રતિબંધ લાગવા લાગ્યો. જ્યારે મનોજ કુમારની ફિલ્મ 'દસ નંબરી' રિલીઝ થઈ ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી જ્યારે 'શોર' રિલીઝ થઈ ત્યારે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

 સરકાર સામે કેસ જીતનાર એકમાત્ર અભિનેતા

 'શોર' ના દિગ્દર્શક અને નિર્માતા બંને મનોજ કુમાર હતા. આવી સ્થિતિમાં ફિલ્મને થિયેટરોમાં પ્રતિબંધિત કર્યા પછી તે સમયે તેને દૂરદર્શન પર તાત્કાલિક રિલીઝ કરવામાં આવી હતી. આ કારણે કોઈ કમાણી નહોતી થઈ અને રિલીઝ પછી તેને ભારે નુકસાન થયું. હવે મનોજ કુમાર પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. તે કોર્ટમાં ગયા. જોકે, મનોજ કુમારને આનો ફાયદો થયો અને તેમના પક્ષમાં નિર્ણય આવ્યો હતો. એટલા માટે તેમના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેઓ દેશના એકમાત્ર એવા અભિનેતા છે જેમણે સરકાર સામે કેસ જીત્યો છે. જોકે પાછળથી મનોજ કુમારને સરકારે કટોકટી પર ફિલ્મ બનાવવાનું કહ્યું હતું પરંતુ તેમણે તે ઓફર નકારી કાઢી હતી.

 અમૃતા પ્રીતમને સખત ઠપકો આપવામાં આવ્યો 

એટલું જ નહીં, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો જ્યારે મનોજ કુમારને માહિતી અને પ્રસારણ તરફથી ફોન આવ્યો કે શું તેઓ કટોકટી પર બની રહેલી દસ્તાવેજી ફિલ્મનું નિર્દેશન કરશે, ત્યારે તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી. જ્યારે તેમને ખબર પડી કે આ સ્ક્રિપ્ટ બીજા કોઈ નહીં પણ તે સમયના પ્રખ્યાત લેખિકા અમૃતા પ્રીતમ લખી રહ્યા છે, ત્યારે તેમણે ગુસ્સામાં અમૃતા પ્રીતમને ફોન કર્યો. તેમણે સીધું અમૃતા પ્રીતમને પૂછ્યું, "શું તમે તમારી જાતને વેચી દીધી છે?" મનોજ કુમારની આવી વાત સાંભળીને અમૃતા પણ દુઃખી થઈ ગયા અને એવું કહેવાય છે કે મનોજ કુમારે તેને આ ડોક્યુમેન્ટરીની સ્ક્રિપ્ટ ફાડી નાખવાનું પણ કહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget