શોધખોળ કરો

Manoj Kumar Passes Away: મનોજ કુમારે ઈન્દિરા ગાંધી સરકાર પર કેમ કર્યો હતો કેસ, શું આવ્યો હતો ચુકાદો?

Manoj Kumar Passes Away: પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે પોતાની ફિલ્મો અને અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.

Manoj Kumar Passes Away: પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે પોતાની ફિલ્મો અને અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. મનોજ કુમાર એક એવા અભિનેતા રહ્યા છે જેમણે પોતાની ફિલ્મો દ્વારા દેશભક્તિ અને સામાજિક સંદેશા આપ્યા છે. તેમની ફિલ્મોની છાપ હંમેશા લોકોના હૃદયમાં રહેશે. બોલિવૂડમાં મનોજ કુમારના સાહસિક વલણ વિશે ઘણી વાર્તાઓ સાંભળવા મળે છે, પરંતુ એક વાર્તા એવી છે જે ઇન્દિરા ગાંધી સાથે સંબંધિત છે. આ ઘટના તે સમયની છે જ્યારે મનોજ કુમારે ઇન્દિરા ગાંધીની ઈમરજન્સીનો સખત વિરોધ કર્યો હતો.

 ઇમરજન્સી દરમિયાન મનોજ કુમારની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

 શરૂઆતના તબક્કામાં ઇન્દિરા ગાંધી અને મનોજ કુમાર વચ્ચે બધું બરાબર હતું. પરંતુ જ્યારે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજ્સી જાહેર કરી ત્યારે બધું થોડી જ વારમાં બદલાઈ ગયું.  કટોકટીનો વિરોધ કરી રહેલા ફિલ્મ કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થતાં જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ મનોજ કુમાર એટલા હિંમતવાન અભિનેતા હતા કે તેમણે ખુલ્લેઆમ કટોકટીનો વિરોધ કર્યો તેથી તેમની ફિલ્મો પર પણ પ્રતિબંધ લાગવા લાગ્યો. જ્યારે મનોજ કુમારની ફિલ્મ 'દસ નંબરી' રિલીઝ થઈ ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી જ્યારે 'શોર' રિલીઝ થઈ ત્યારે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

 સરકાર સામે કેસ જીતનાર એકમાત્ર અભિનેતા

 'શોર' ના દિગ્દર્શક અને નિર્માતા બંને મનોજ કુમાર હતા. આવી સ્થિતિમાં ફિલ્મને થિયેટરોમાં પ્રતિબંધિત કર્યા પછી તે સમયે તેને દૂરદર્શન પર તાત્કાલિક રિલીઝ કરવામાં આવી હતી. આ કારણે કોઈ કમાણી નહોતી થઈ અને રિલીઝ પછી તેને ભારે નુકસાન થયું. હવે મનોજ કુમાર પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. તે કોર્ટમાં ગયા. જોકે, મનોજ કુમારને આનો ફાયદો થયો અને તેમના પક્ષમાં નિર્ણય આવ્યો હતો. એટલા માટે તેમના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેઓ દેશના એકમાત્ર એવા અભિનેતા છે જેમણે સરકાર સામે કેસ જીત્યો છે. જોકે પાછળથી મનોજ કુમારને સરકારે કટોકટી પર ફિલ્મ બનાવવાનું કહ્યું હતું પરંતુ તેમણે તે ઓફર નકારી કાઢી હતી.

 અમૃતા પ્રીતમને સખત ઠપકો આપવામાં આવ્યો 

એટલું જ નહીં, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો જ્યારે મનોજ કુમારને માહિતી અને પ્રસારણ તરફથી ફોન આવ્યો કે શું તેઓ કટોકટી પર બની રહેલી દસ્તાવેજી ફિલ્મનું નિર્દેશન કરશે, ત્યારે તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી. જ્યારે તેમને ખબર પડી કે આ સ્ક્રિપ્ટ બીજા કોઈ નહીં પણ તે સમયના પ્રખ્યાત લેખિકા અમૃતા પ્રીતમ લખી રહ્યા છે, ત્યારે તેમણે ગુસ્સામાં અમૃતા પ્રીતમને ફોન કર્યો. તેમણે સીધું અમૃતા પ્રીતમને પૂછ્યું, "શું તમે તમારી જાતને વેચી દીધી છે?" મનોજ કુમારની આવી વાત સાંભળીને અમૃતા પણ દુઃખી થઈ ગયા અને એવું કહેવાય છે કે મનોજ કુમારે તેને આ ડોક્યુમેન્ટરીની સ્ક્રિપ્ટ ફાડી નાખવાનું પણ કહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget