શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
370 હટ્યા બાદ કાશ્મીરમાં ઘર બનાવવા માગે છે આ એક્ટર, કહ્યું- પુરું થશે બાળપણનું સપનું
આ પહેલા ઝાયરા વસીમે પણ ટ્વીટ કર્યું હતું. ઝાયરા વસીમે ટ્વિટ કરીને કહ્યું કે, આ સમય પણ પસાર થઈ જશે.
![370 હટ્યા બાદ કાશ્મીરમાં ઘર બનાવવા માગે છે આ એક્ટર, કહ્યું- પુરું થશે બાળપણનું સપનું tv actor gurmeet singh wants to buy home at kashmir after 370 revoke 370 હટ્યા બાદ કાશ્મીરમાં ઘર બનાવવા માગે છે આ એક્ટર, કહ્યું- પુરું થશે બાળપણનું સપનું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/06105836/gurmeet.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ભારત સરાકરે કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતા બંધારણના આર્ટિકલ 370ને ખત્મ કરવાનો પ્રસ્તાવ સંસદમાં રાખ્યો છે. બોલિવૂડ સેલેબ્સે પણ તેનું સ્વાગત કર્યું છે. રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર એક્ટર ગુરમીત ચૌધરીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, તે કાશ્મીરમાં ઘર ખરીદવા ઈચ્છે છે.
Ever since i spent my childhood in the army camps in #Kashmir i always thought i belonged there. Now with the repealing of #article370 my dream of buying a house & doing business in #kashmir will soon turn into a reality. Kudos on the landmark judgement. Thrilled Jai hind 🇮🇳
— GURMEET CHOUDHARY (@gurruchoudhary) August 5, 2019
ગુરમીત ચૌધરીએ સોશિયલ મીડિયા પર લખ્યું- કાશ્મીરના આર્મી કેમ્પમાં મેં મારા બાળપણનો ઘણો સમય વિતાવ્યો છે. હંમેશાથી મને લાગતું હતુંકે આ જગ્યા પર રહું. 370 હટ્યા બાદ કાશ્મીરમાં ઘર લેવા અને બિઝનેસ કરવાનું સપનું પૂરું થશે. આ નિર્ણય ઐતિહાસિક છે અને હું ખુબ રોમાંચિત મહેસુસ કરું છું. જય હિન્દ.
આ પહેલા ઝાયરા વસીમે પણ ટ્વીટ કર્યું હતું. ઝાયરા વસીમે ટ્વિટ કરીને કહ્યું કે, આ સમય પણ પસાર થઈ જશે. ઝાયરાએ આ ટ્વિટ ઘણા સમય પછી કર્યું છે. ઝાયરાએ પાછળનાં દિવસોમાં ધર્મની વાત કરીને બોલિવૂડ છોડ્યું હતું. કાશ્મીરની જ ઝાયરાએ કાશ્મીરને લઈને ટ્વિટ કર્યું છે. ઝાયરા સિવાય પણ ઘણા અભિનેતાઓ આ મુદ્દે ટ્વિટ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)