શોધખોળ કરો
‘પાટીદાર પ્રધાને પાટીદારો પાસેથી પૈસા ઉઘરાવી નોકરીઓ ના આપી’, હાર્દિકે કોની સામે કર્યો આ આક્ષેપ?
1/5

હાર્દિક પટેલે ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા બાદ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે આપણે પાટીદારો માટે કોઇ પણ ભોગે અનામત લેવાની છે અને ન આપે તો ઝૂંટવી લેતાં પણ પાટીદારોને આવડે છે. પાટીદાર સમાજની તાકાતની વિશ્વ લેવલે નોંધ લેવાઇ છે અને કોઇના બાપની તાકાત નથી કે પાટીદારની તાકાતને રોકી શકે.
2/5

હાર્દિકે રાજ્યના પંચાયત મંત્રી જયંતિ કવાડીયાને આડે હાથ લેતાં જણાવ્યું કે, જેમને પાટીદારોએ ખોબલેને ખોબલે મત આપી વિજયી બનાવ્યા હતા તેમણે ચૂંટાયા બાદ પાટીદારોને નોકરી આપવાનું વચન આપીને નાણાં ઉઘરાવ્યાં પણ નોકરી ન આપીને સમાજ સાથે દગો કર્યો છે.
Published at : 23 Jan 2017 10:01 AM (IST)
View More























