શોધખોળ કરો
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં બિઝનેસમેન અને વિદેશી મહેમાનોને કઈ-કઈ વાનગીઓ પિરસવામાં આવશે? જાણો વિગત

1/4

ડિનરમાં સલાટ સલાટ અને દાળ ખમણ, બ્રોક્રોલી આર્લમન્ડ સૂપ, સેફ્રોન ગ્રેવી સાથે શાહી પનીર પસંદા, ટેન્જી ગ્રેવી સાથે ચટપટા પંજાબી શાક, આલુ મટર રેસાવાળાનું શાક, સુરતી પાપડી સાથેનું સુરતી ઊધિયું, બેકડ વેજિટેબલ લઝાનિયા ડિશ, દાળ તડકા, જીરા ધનિયા પુલાવ, ફુલ્કા રોટલી અને અજવાઈન પરોઠા, પાપડ, અથાણા, ચટણી અને રાયતું, રાજભોગ શ્રીખંડ, રેડ વેલવેટ પેસ્ટી, સીતાફળનો આઈસક્રીમ અને મુખવાસમાં પાન રાખવામાં આવ્યું છે.
2/4

પહેલા દિવસે બપોરે ગુજરાત સરકારે લંચનું આયોજન કર્યું છે જેમાં ડેલિગેટ્સને સુરતી ઊંધિયા પિરસવામાં આવશે. રાત્રે વડાપ્રધાન કાર્યાલય તરફથી આયોજીત ડિનરમાં રજવાડી ખિચડી સહિતના વ્યજંનોનો આર્ડર આપવામાં આવ્યો છે.
3/4

વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશથી આવનારા ડેલિગેટ્સ, આમંત્રિતોના ભોજનથી લઈને રહેવા અને ફરવામાં કોઈ કચાશ છોડી નથી. મહાત્મા મંદિરમાં વીવીઆઈપીના ભોજન માટે ઈન્ટરનેશનલ ફાઈવ સ્ટાર હોટેલ્સને ઓર્ડર આપવામાં આવ્યો છે.
4/4

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર એટલે આજે સવારે 10 કલાકે 9મી વાઈબ્રન્ટ સમિટ 2019ને ખુલ્લી મુકશે. બપોરે 1 વાગ્યા સુધી ચાલનારા ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વના અનેક નામાંકિત ઉદ્યોગપતિઓથી લઈને 20થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખો, મંત્રીઓ અને રાજદ્વારીઓ ઉપસ્થિત રહેશે. સાંજે સોવરિન ફંડ, પેન્શન ફંડ સહિતના વિદેશી મુડીરોકાણકર્તાઓના સમુહ સાથે વડાપ્રધાન કાર્યાલય તરફથી મહાત્મા મંદિરમાં ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Published at : 18 Jan 2019 09:31 AM (IST)
View More
Advertisement