તેમણે ખાતરી આપી કે દિવાળી પછી હાથ ધરાનારી પ્રક્રિયા ઝડપથી પૂરી કરાશે. બીજી તરફ સરકારી પોલીટેકનિકલ કોલેજોમાં પણ આશરે 700 જે અધ્યાપકોની પસંદગી થઇ ગઇ છે. તેમને પણ ટૂંકસમયમાં ઓર્ડર આપવામાં આવશે.
2/3
ચુડાસમાએ કહ્યું હતું કે ભરતી પ્રક્રિયા ઝડપી પુરી કરવામાં આવશે અને ભરતીમાં ટેટના પચાસ ટકા અને શૈક્ષણિક લાયકાતના પચાસ ટકા એમ બંને શૈક્ષણિક લાયકાતના ધોરણે મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
3/3
અમદાવાદઃ રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્યમિક અ્ને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 7800 શિક્ષકોની ભરતી દિવાળી પછી તરત હાથ ધરવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી છે.