સુરત: યુવક સાથે નાસી છૂટ્યા બાદ તરુણીએ પોલીસ સમક્ષ રજૂ કરેલી વિગતો ચોંકાવનારી સામે આવી છે. માતાના અવસાન બાદ તરુણી પર તેના પિતા અને ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાની વાત તેણે પોલીસને જણાવી છે. જે સાંભળીને પોલીસ પણ હચમચી ગઈ હતી.
2/6
સરથાણા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને તરુણીના પિતા અરવિંદ અને 19 વર્ષિય ભાઈ રવિની ધરપકડ કરી છે. પોલીસે તરુણીને નારીગૃહમાં મોકલી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
3/6
તરુણીની માતાનું અવસાન થયું છે અને તે મજૂરીકામ કરી ગુજરાન ચલાવતાં પિતા અને ભાઈ સાથે રહેતી હતી. આ હતાશાભર્યા સંજોગોમાં તેને યુવકનો સહારો મળતાં એ તેના પ્રેમમાં ઘર છોડીને નાસી છુટી હતી.
4/6
તરુણીએ પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. 14 વર્ષની તરુણીના કહેવા મુજબ, તેના પિતા અને ભાઈએ ચારેક મહિના પહેલા રાત્રે દુષ્કર્મ આચર્યું હતું.
5/6
સરથાણા પોલીસે યુવક સામે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. સરથાણા પોલીસે ગણતરીના દિવસોમાં જ આ પ્રેમી પંખીડાને શોધી કાઢી પોલીસ મથકમાં લાવી પૂછપરછ કરી હતી.
6/6
તરુણીના નિવેદન બાદ સરથાણા પોલીસે પિતા અને ભાઈની ધરપકડ કરી હતી ત્યાર બાદ તરૂણીને નારી સંરક્ષણ ગૃહના હવાલે કરી દેવામાં આવી છે. લસકાણા ગામે ભાડાના મકાનમાં રહેતી 14 વર્ષની તરુણી એક યુવકના પ્રેમમાં હોવાથી થોડા દિવસ અગાઉ ઘરેથી ભાગી ગઈ હતી.