આ સંજોગોમાં રાજકીય વર્તુળોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, મોરચાએ કરેલી ફોન આપવાની જાહેરાત પાછળ થનારો જંગી ખર્ચો કોણ ઉઠાવશે ? બાપુ આટલી મોટી રકમનો દાવ ખેલવા કેમ તૈયાર થયા છે ? જોકે તેના જવાબ આપવા માટે હાલમાં કોઈ તૈયાર નથી.
2/6
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી માટે કોંગ્રેસને રામરામ કરનારા શંકરસિંહ વાઘેલા ફરી મેદાનમાં આવી ગયા છે. શંકરસિંહ વાઘેલાના આશિર્વાદથી ભાજપ-કોંગ્રેસ સિવાયના અન્ય રાજકીય પક્ષો માટે જનતા મોરચાના મોડેલ પર જનવિકલ્પ નામે એક નવો મોરચો ખૂલ્યો છે.
3/6
જો એક 4 જી ફોનની કિંમત માત્ર એક હજાર રૂપિયા ગણીને ચાલીએ તો 60 લાખ મતદારો માટે 4જીનો ફોન ખરીદવા માટે રૂપિયા 600 કરોડનું ભંડોળ જોઈએ. જન વિકલ્પ મોરચા પાસે રૂ. 600 કરોડનું ભંડોળ હોય તેવી કોઈ શક્યતા દેખાતી નથી તે જોતાં આ જાહેરાતનો અર્થ શો તે ચર્ચાનો વિષય છે.
4/6
આગામી સમયમાં આ આંકડો વધીને 60 લાખ નવા મતદારોનો થઈ શકે છે. આ સ્થિતિમાં રાજકીય વર્તૂળોમાં ચર્ચા ચાલી રહી છે કે, શંકરસિંહ વાઘેલા આટલા બધા મતદારોને આપવા માટે 4 જી સ્માર્ટફોન ખરીદવાની રકમ લાવશે ક્યાંથી ? કે પછી બાપુ લોકોને ઉલ્લુ બનાવવા માટે આ જાહેરાત કરી રહ્યા છે?
5/6
આ જાહેરાતમાં છેલ્લે જણાવ્યું છે કે, જનવિકલ્પ મોરચા તરફથી 2017ની ચૂંટણીમાં પ્રથમ વાર મત આપવા જતા મતદાતાને એક 4 જીનો ફોન ભેટ તરીકે આપવામાં આવશે. ચૂંટણી કમિશને જાહેર કરેલા આંકડા મૂજબ અત્યાર સુધીમાં ગુજરાતમાં 50 લાખ નવા મતદારો નોંધાયો છે.
6/6
વાઘેલાના આ જનવિકલ્પ મોરચા દ્વારા તેની વેબસાઈટ બનાવાઈ છે અને રજિસ્ટ્રેશન કરવા કહેવાયું છે. જન વિકલ્પ મોરચા દ્વારા વેબસાઈટ પર અલગ અલગ વર્ગના લોકોની તકલીફોની વાત કરાઈ છે પણ સૌથી છેલ્લે જે જાહેરાત કરાઈ છે તે સૌથી રસપ્રદ છે. આ જાહેરાત નવા યુવા મતદારોને આકર્ષવા માટે છે.