શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં રાદડિયાના ગઢમાં કોંગ્રેસે પાડ્યાં ગાબડાં, તાલુકા પંચાયતમાં કોણે જીતી કેટલી બેઠકો ? જાણો વિગત

1/6

વિધાનસભાના વિપક્ષી કોંગી નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં તાલુકા પંચાયતની ત્રણ બેઠકો ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી. અમરેલી તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી 16 બેઠકો ઉપર અગાઉ કોંગ્રેસનો ઝળહળતો વિજય થયો હતો. પરંતુ તાજેતરમાં જ પ્રમુખ- ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પુરી થતાં કોંગ્રેસનાં જ છ ઉમેદવારોએ બળવો કરી અલગ ચોકો જમાવેલો, જેથી કોંગ્રેસે પાર્ટીમાંથી બરતરફ કરતા સદસ્યોએ રાજીનામા ધરી દેવાથી ખાલી પડેલી છ સીટોની રવિવારે યોજાયેલી ચૂંટણીનું પરીણામ જાહેર થયું હતું.
2/6

વિંછીયા તાલુકા પંચાયતની અમરાપુર બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર દયાબેન તલસાણીયાએ ભાજપનાં ઉમેદવારને 445 મતે હરાવીને સોંપો પાડી દીધો હતો. થોડા સમય પહેલા કોંગ્રેસને છોડીને ભાજપમાં ભળી જઈ કેબિનેટ મંત્રી બની ગયેલા કુંવરજી બાવળીયાનાં વતનમાં જ ભાજપને કારમી હારનો સામનો કરવો પડયો છે. અત્યાર સુધી અહીં તેમનો ભારે દબદબો હોવાનું લાગતું હતું અને વતન અમરાપુરમાં બે-બે વખત ગ્રામજનો સાથે બેઠક પણ યોજી હતી છતાં જીત મળી નથી.
3/6

જેતપુર તાલુકા પંચાયતની એક બેઠક ચાંપરાજપુરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થતાં રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાના કહેવાતા ગઢના કાંગરા ખરવા લાગ્યા છે. વર્ષ 2017માં યોજાયેલી જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રજાએ કુલ 20 બેઠકોમાંથી 15 બેઠકો કોંગ્રેસને આપી ભાજપનો ગઢ તોડયો હતો. અહીં ભાજપને હરાવવું લોઢાના ચણા ચાવવા બરાબર છે. ચાંપરાજપુરની બેઠક ખાલી થતા યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના આલિંગભાઈ બસીયાએ ભાજપના બટુકભાઈ મકવાણાને હરાવતા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો હતો.
4/6

જેમાં કોંગ્રેસને ત્રણ સીટો ગુમાવવી પડી હતી. જેમાં પ્રતાપપરા બેઠક ઉપર ભાજપનાં અશ્વિન સાવલીયા 1073 મતથી વિજેતા થયેલા હતા. તેમજ જસવંતગઢની સીટ ઉપર ભાજપના કંચનબેન દેસાઈ 238 મતથી અને નાના આંકડીયા બેઠક ઉપર દેવજીભાઈ ભાસ્કર 365 મતથી વિજેતા થયા છે. જ્યારે વડેરા, મોટા આંકડીયા અને બાબાપુરની બેઠકો કોંગ્રેસે જાળવી રાખી હતી. જો કે, કોંગ્રેસ પાસે બહુમતિ હોવાના કારણે તાલુકા પંચાયતના શાસનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.
5/6

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં નવ તાલુકા પંચાયતોની ખાલી પડેલી 16 બેઠકો ઉપરની પેટા ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં ભાજપ અને કોંગ્રેસમાં કહીં ખુશી-કહીં ગમ જેવો માહોલ છવાયો હતો. ભાજપને 9 બેઠકો મળી હતી તો કોંગ્રેસે 7 બેઠકો જીતી હતી. ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢ ચાંપરાજપુરની બેઠક પર કોંગ્રેસ અને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વતન અમરાપુર બેઠક પર પણ કોંગ્રેસનો વિજય થતાં ભાજપને આંચકો લાગ્યો હતો.
6/6

સાવરકુંડલા તાલુકા પંચાયતની એક માત્ર ધાંડલા બેઠક ઉપર ભાજપના નંદુબેન વાઘમશી 140 મતથી વિજેતા થયેલા હતા. આ બેઠક અગાઉ પણ ભાજપ પાસે જ હતી. બાબરા તાલુકા પંચાયતની કોટડાપીઠા બેઠક ઉપર એક પણ ઉમેદવારીપત્ર રજુ ન થતા આ બેઠક ઉપર ચૂંટણી યોજાઈ ન હતી.
Published at : 10 Oct 2018 11:35 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
આઈપીએલ
Advertisement
