શોધખોળ કરો
નર્મદા યોજનાના વિસ્થાપિતોને ગુજરાત 400 કરોડ ચૂકવશે, સુપ્રીમનો ઐતિહાસિક નિર્ણય
1/5

આ અંગે મુખ્યપ્રધાને કહ્યું કે, હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ ૧૨૧.૯૧ મીટર છે. દરવાજા મૂકવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સુપ્રીમના આદેશથી દરવાજા બંધ કરવાની કામગીરી પૂર્ણ થતાં ડેમની ઊંચાઈ વધીને ૧૩૮ મીટરે પહોંચી જશે. આ ઊંચાઈને કારણે ડેમમાં અત્યારની સરખામણીએ ત્રણ ગણો પાણીનો જથ્થો સંગ્રહ થશે.
2/5

સાથોસાથ અસરગ્રસ્તોને ઓગસ્ટ-૨૦૧૭ સુધીમાં ડેમની જગ્યા છોડી દેવા જણાવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સુપ્રીમ કોર્ટેના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવી આવકાર્યો છે. સુપ્રીમના આદેશથી ગુજરાતે વિસ્થાપિતોને રૂપિયા ૪૦૦ કરોડનું વળતર ચૂકવવું પડશે.
Published at : 09 Feb 2017 10:51 AM (IST)
View More























