આ અંગેની મળતી વિગતો પ્રમાણે અંકલેશ્વર નગર પાર્થિમક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાની આઠમાં ધોરણની વિદ્યાર્થિની ચાર વિદ્યાર્થીઓ સાથે બપોરના સમયે શાળા પાસેના અવાવરું મકાનમાં બીભત્સ હરકતો કરી રહી હતી.
2/5
કેયુર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ અંગે મૌખિક ફરિયાદ આવી હતી. વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ફરીથી બનશે તો સાંખી લેવામાં નહીં આવે. ત્યારે આ કિસ્સો વિદ્યાર્થીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન છે.
3/5
પાંચેય વિદ્યાર્થીઓની જીંદગી ન બગડે અને તેઓ સગીર વયના હોય સ્કૂલ પ્રિન્સિપાલે નગરપાલિકાના વહિવટી અધિકારી કેયુર ઉપાધ્યાયને જાણ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી વિદ્યાર્થીઓની હરકત અંગે તાકિત કરી હતી. તેમજ ભવિષ્યમાં આવું ન થાય તેનું ધ્યાન રાખવા સૂચના આપી હતી.
4/5
આ ઘટનાની જાણ સ્થાનિક રહિશો અને માનવાધિકારીના સભ્યોને થતાં તેમણે મકાનમાં તપાસ કરતાં આ તમામ સગીરો બીભત્સ હાલતમાં ઝડપાયા હતા. જેથી પાંચેયને સ્કૂલના પ્રિન્સિપાલ સમક્ષ રજૂ કરાયા હતા. જ્યાં સ્થાનિકોએ કડક પગલાની માંગ સાથે હોબાળો મચાવી દીધો હતો.
5/5
ભરુચઃ અંકલેશ્વર સ્થિત પ્રાથમિક શાળા પાસેની અવાવરું જગ્યામાં આઠમા ધોરણમાં પણ વિદ્યાર્થિની ચાર જેટલા વિદ્યાર્થીઓ સાથે બીભત્સ હરકતો કરતાં પકડાઇ જતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિકોએ આ અંગે સ્કૂલ પ્રશાસન સામે કડક પગલા ભરવાની માંગ કરી હતી. જોકે, આ તમામ વિદ્યાર્થીઓ સગીર વયના હોવાથી મામલો દબાવી દેવાયો હતો.