શોધખોળ કરો
વિસાવદરઃ યુવકને યુવતી સાથે હતા શારીરીક સંબંધો, યુવતીના ભાઈઓને જાણ થતાં શું કર્યું? જુઓ વિગત
1/3

મંગળવારે સવારે બાજુવાળા ખેતરમાં રહેતા મૃતકનાં ભાઇ અશોકભારથીને જાણ કરતાં તેઓ ત્યાં દોડી ગયેલ અને ખંભાળીયાનાં સરપંચ અમરૂભાઇ ખુંમાણને વાકેફ કરતાં પોલીસને જાણ કરી હતી. બીલખાનાં પીએસઆઇ જે.ડી. પંડયા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી. મૃતકનાં ભાઇ અશોકભારથીએ માંગનાથ પીપળીનાં ત્રણ દેવીપુજક ભાઇઓ નિતેશ બાબુ, લાલો અને વિપુલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને જેની જાણ આરોપીઓને થઇ જતાં સોમવારનાં રાત્રીનાં આ ત્રણેય ભાઇઓ ઉમરળાની સીમમાં ખેતરે પહોંચી ભરત પર તિક્ષણ હથિયારોથી માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નિપજાવી નાસી ગયા હતાં. ભરત સોમવારે સાંજે ઘરે જમીને ખેતરે મગફળીનું વાવેતર કર્યુ હોય અને રાત્રીનાં જંગલી જનાવરનો ત્રાસ હોવાથી રખોપુ કરવા ગયો હતો એમ અશોકભારથીએ પોલીસને જણાવ્યું હતું.
2/3

વિસાવદરનાં ખંભાળીયા (ઓઝત) ગામના બાવાજી યુવાન ભરતભારથી ઉર્ફે સંજયભારથી દીલુભારથી ગોસ્વામી (ઉ.વ.40) સોમવારનાં રાત્રીનાં વાજડી જવાનાં રસ્તે ઉમરાળા ગામની સીમમાં આવેલ પોતાનાં ખેતરે હતાં. ત્યાં ત્રણ વ્યક્તિએ તેમની તિક્ષ્ણ હથિયાર માથામાં મારીને હત્યા કરી હતી.
Published at : 05 Jul 2017 10:43 AM (IST)
View More























