રેલવે વિભાગ તરફથી કહેવામાં આવ્યું કે, પાટા ટૂટી ગયા હોવાથી આ ઘટના બની છે. આ એક્સિડન્ટમાં સ્લીપર કોચને વધારે નુકસાન થયું છે.
2/4
ચિત્રકૂટઃ યૂપીના ચિત્રકૂટ પાસે થયેલ એક ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને નવ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઘટના માનિકપુર સ્ટેસન પાસે થઈ છે. રેલવે મંત્રાલયે ઘટનામાં માર્યા ગયેલ લોકોના પરિવારને 5 લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 1 લાખ રૂપિયા અને ઘાયલ લોકોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
3/4
આ એક્સિડન્ટના માણિકપરુ સ્ટેશન પાસે સવારે 4.18 વાગે ઘટના બની હતી. અલાહાબાદથી મેડિકલ ટીમ રવાના થઈ ગઈ છે. યુપીના એડીજીએ જણાવ્યું છે કે, રેલના પાટા ટૂટી જવાના કારણે આ એક્સિડન્ટ થયો છે. જોકે ચિત્રકૂટના ડીએમ શિવાકાંત દ્વિવેદીનું કહેવું છે કે, હજુ એક્સિડન્ટનું કારણ સ્પષ્ટ નથી થયું.
4/4
ઘાયલ લોકોને ચિત્રકૂટ અને આજુ-બાજુની નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પછી રેલવેએ 05322226276 અને ચિત્રકૂટ પોલીસે 05198236800 હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.