શોધખોળ કરો
મમતા બેનર્જી બાદ ભાજપના આ દિગ્ગજ નેતાએ કર્યો ‘આધાર’નો વિરોધ, કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા માટે છે જોખમી
1/4

નવી દિલ્હીઃ મમતા બેનર્જી બાદ હવે આધારને ફરજિયાત કરવા પર ભાજપની અંદરથી જ વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આધાર મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. ત્યારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આધાર પર સવાલ ઉભા કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ આધારને સુરક્ષા માટે જોખમી ગણાવ્યું છે. તેની સાથે જ તેમણે કહ્યું કે, તે આ મામલે પ્રધાનમંત્રીને પત્ર લખશે.
2/4

મમતા બેનરજીએ આ વિરોધ પાછળ ઘણાં કારણ વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તમે આધારને મોબાઈલ સાથે લિંક કરશો તો તેમને ઘણી બધી માહિતી મળી જશે. તમે ઘરમાં શું ખાઈ-પી રહ્યા છો, પતિ-પત્ની શું વાત કરી રહ્યા છે તે બધુ તેમને ખબર પડી જશે. આમ, મોબાઈલને આધાર સાથે લિંક કરવાથી કોઈ પ્રકારની પ્રાઈવસી રહેશે નહીં.
Published at : 31 Oct 2017 12:22 PM (IST)
View More























