શોધખોળ કરો
અમરનાથ યાત્રાળુઓ પર હુમલોઃ PDP MLAના ડ્રાઈવરની અટકાયત
1/3

આઈજીપી મુનીર ખાને જણાવ્યું કે, તૌસિફ આંતકિઓના સંપર્કમાં હતો તેના કેટલાક પુરાવા મળ્યા છે. કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રાળુઓ પર થયેલા હુમલાની તપાસ માટે છ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે. 10 જુલાઈએ અનંતનાગમાં અમરનાથ યાત્રાળુઓ પર થયેલા હુમલામાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતાં. આ હુમલાને લઈને કેટલાક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યા છે કે, આતંકીઓ સુરક્ષા જવાનોને નહી પણ બસને જ નિશાન બનાવવા માંગતા હતા.
2/3

પોલીસે જણાવ્યું કે, તૌસિફ પર આતંકવાદીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ છે જેના કારણે તેની પુછપરછ કરવામાં આવી હતી. એજાજ ઉપરાંત બીજા બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પણ હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. તૌસિફ સાત મહિના પહેલા ધારાસભ્ય એજાજને ત્યાં ડ્રાઇવર તરીકે લાગ્યો હતો. આ પહેલા તે જમ્મુ-કાશ્મીર પોલીસના સિક્યોરિટી વિંગમાં હતો.
Published at : 15 Jul 2017 11:54 AM (IST)
Tags :
Amarnath-View More























