નવી દિલ્લીઃ બાબરી મસ્જિદ ધ્વંશ કરવા મામલે સુપ્રીમ કોર્ટે ગઇકાલે ચુકાદો આપ્યો હતો. કોર્ટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 13ની સામે ગુનાહિત કાવતરા અંતર્ગત કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોર્ટના નિર્ણય બાદ અડવાણી ઉદાસ થઇ ગયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોર્ટના ચુકાદા બાદ અડવાણીને ફોન કર્યો હતો અને કહ્યું હતુ કે, પાર્ટી તમારી સાથે છે.
3/4
સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહે બુધવારે સાંજે અડવાણીને ફોન કર્યો હતો. ફોન કરીને તેમને કહ્યું હતું કે, પાર્ટી તમારી સાથે જ છે. આ ઉપરાંત તેમણે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી અને વિનય કટિયારને પણ ફોન કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
4/4
ઉલ્લેખનીય છે કે જૂલાઈમાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. અડવાણીનું નામ આ રેસમાં છે. પરંતુ જાણકારોના મતે કોર્ટના આ ચુકાદા બાદ તેની સંભાવના ખત્મ થઇ ગઇ છે.