શોધખોળ કરો
નારાજ શિવસેનાને મનાવશે BJP, આજે ઉદ્ધવ સાથે મુલાકાત કરશે અમિત શાહ
1/5

શિવસેના આગામી ચૂંટણી બીજેપી સાથે નહીં લડે તેમ સતત કહી રહ્યું છે. પાલઘર પેટા ચૂંટણી તેનું જ એક ઉદાહરણ હતું. બીજેપી પણ શિવસેનાને તેની સાથે છેડો ફાડવા દેવા માંગતું નથી. 48 લોકસભા સીટવાળા મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધન 42 સીટ જીત્યું હતું.
2/5

પેટા ચૂંટણીઓમાં સતત હારનો સામનો કરી રહેલી બીજેપી સામે સાથી પક્ષોને જાળવી રાખવાનો મોટો પડકાર છે. શિવસેના બાદ બિહારમાં નીતિશ કુમારની જેડીયુ, રામવિલાસ પાસવાન સહિત અન્ય પાર્ટીઓના આવેલા નિવેદનો ભાજપ માટે ચિંતાનો વિષય છે.
Published at : 05 Jun 2018 09:23 AM (IST)
View More





















