શોધખોળ કરો
મોદી-અમિત શાહના કારણે ભારત બની ગયો છે પીરામિડ માફિયા દેશ, ભાજપના ક્યા નેતાએ કર્યો આક્ષેપ, જાણો
1/6

નવી દિલ્લીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. એક ઇન્ટરવ્યૂમાં અરૂણ શૌરીએ પીએમ મોદીનું 2014માં સમર્થન કરવાને પોતાના જીવનની બીજી સૌથી મોટી ભૂલ ગણાવી છે. તેમણે કહ્યું કે, રાજીવ ગાંધીની વિરૂદ્ધ વીપી સિંહનું સમર્થન કરવું તે તેના જીવનની પ્રથમ સૌથી મોટી ભૂલ હતી તો 2014માં મોદીનું સમર્થન બીજી ભૂલ છે. અરૂણ શૌરીએ એક અંગ્રેજી વેબસાઈટને આપેલ ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે.
2/6

ગુજરાતના રમખાણો અંગે અરૂણ શૌરીએ કહ્યું કે, અટલજી ઘણા દુઃખી હતા અને તેઓની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, અટલજી એ એક રેફયુજી કેમ્પની મુલાકાત લીધી હતી અને ત્યારપછી અમારે તરત જ સિંગાપુર અને કંબોડીયા જવાનુ હતુ. તે વખતે બ્રિજેશ મિશ્રાએ મને કહ્યુ હતુ કે, અટલજી પાસે જાવ તેઓ ઘણા અપસેટ છે. તે પછી હું તેમની પાસે ગયો હતો અને તેઓ માથુ પકડીને બેઠા હતા. મેં પુછયુ કે તમે અપસેટ શા માટે છો? ત્યારે તેઓ રડવા લાગ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, હું કયા મોઢે મારી સિદ્ધિઓ વર્ણવીશ. એક એવુ મોટુ કલંક મારી સરકારને લાગી ગયુ છે. તે વખતે મેં કહ્યું હતું કે, તમે પ્લેનમાંથી ઉતરી અડવાણીજીને કહો કે મોદીને રાજીનામુ આપવા જણાવે, આમા કોઇ મોટી વાત છે તો અટલજી સાવ શાંત થઇ ગયા હતા. તેમણે ફોન ન કર્યો. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, કારોબારીની મીટીંગમાં મોદીએ રાજીનામુ આપી દેવાની ઇચ્છ વ્યકત કરી હતી પરંતુ ૧૦ થી ૧પ લોકોએ બીલકુલ નહી, શું કામ આપે, કઇ ખોટુ થયુ નથી તેવા નારા લગાવ્યા હતા પરંતુ અડવાણીએ મોદીને બચાવી લીધા હતા. જેનાથી અટલજી દુઃખી હતા.
Published at : 12 Jan 2017 12:32 PM (IST)
View More























