શોધખોળ કરો
કેજરીવાલે નોટબંધીને ગણાવ્યું મોટું કૌભાંડ, કહ્યું- ભાજપે પોતાના મિત્રોને પહેલાજ જાણ કરી દીધી
1/5

તેની સાથે જ તેમણે નોટબંધીના નિર્ણયને પરત લેવાની માગ કરતા કહ્યું કે, આ મોદીની સર્જિકલ સ્ટ્રાઈક કાળા નાણાં પર નહીં પરંતુ સામાન્ય લોકોના વર્ષો ભેગી કરેલી બચત પર સ્ટ્રાઈક્સ છે. આ જે અફરાતફરી ઉભી થઈ છે તેનાથી કોઈ કાળાં નાણાંની જાણકારી નહીં મળે. તેનાથી કાળાં નાણાં માત્ર સ્થાન બદલાઈ જશે.
2/5

આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે કહ્યું, નોટ બદલવા અને એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે ક્યા લોકો લાઈનમાં લાગ્યા છે? તે સામાન્ય લોકો છે. તેમણે આરોપ લગાવ્યો કે જાણી જોઈને આ કટોકટી ઉભી કરવામાં આવી છે, જેથી લોકો દોડતા દોડતા સરકારના દલાલોની પાસે ભાગે.
Published at : 12 Nov 2016 11:45 AM (IST)
View More





















