શોધખોળ કરો
આજે જે બેન્કમાં તમારું ખાતું છે ત્યાં જ જૂની નોટ બદલી શકાશે, સીનિયર સિટિઝનોને છૂટ
1/3

ગૃહિણીઓ અને જનધન ખાતાની પણ તપાસ અને કાર્યવાહી થઇ શકે છે. સરકારે પહેલાં કહ્યું હતું કે ખાતામાં 2.50 લાખ રૂપિયા અને જનધનના ખાતામાં 50 હજાર રૂપિયા સુધીની રકમ જમા થવા પર પૂછપરછ નહીં થાય. પરંતુ હવે છૂટથી ગેરરીતિ થઇ શકે છે. ખાતામાં ખાતેદારની રકમ નથી તેવી જાણ થશે તો નવા નિર્દેશ પ્રમાણે 12% વ્યાજ સાથે 200% દંડ થશે.
2/3

ઋષિએ જણાવ્યું હતું કે 10 દિવસથી બેન્કો પોતાના ગ્રાહક પ્રત્યે ધ્યાન નથી આપી રહી. ઘણાં કામ બાકી હોવાને કારણે શનિવારે માત્ર પોતાના ગ્રાહકો ઉપર ધ્યાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે બેન્કો સમય કરતાં વધારે નહીં ખૂલે. રવિવારે બેન્કો બંધ રહેશે અને સોમવારથી તમે ગમે તે બેન્કમાં નોટ બદલાવી શકશો. ઋષિએ જણાવ્યું હતું કે આંગળી ઉપર શાહી લગાવવાને કારણે બેન્કોમાં 40 ટકા સુધી ભીડ ઘટી છે. દરમિયાન રિઝર્વ બેન્કે ટિયર 1 અને 2 પ્રકારનાં શહેરોમાં પીઓએસથી નાણાં ઉપાડવાની મર્યાદા રૂ. 1000થી વધારીને રૂ. 2000ની કરી દીધી છે.
Published at : 19 Nov 2016 06:59 AM (IST)
View More





















