શોધખોળ કરો
નોટબંધી બાદ બેંકોમાં જૂની નોટોમાં 5.44 લાખ કરોડ રૂપિયા જમા થયા
1/5

નવી દિલ્હીઃ સરકાર દ્વારા 500 અને 1000ની નોટ બંધ કરવાના નિર્ણય બાદથી બેંકોમાં 18 નવેમ્બર સુધી 5.44 લાખ કરોડ રૂપિયાની જૂની નોટ બદલવામાં અથવા જમા કરવામાં આવી છે.
2/5

રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે, 10થી 18 નવેમ્બર દરમિયાન બેંકોના કાઉન્ટર અથવા એટીએમ દ્વારા 103316 કરોડ રૂપિયાની નોટ વિતરિત કરવામાં આવી. સરકાર દ્વારા 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000ની નોટ બંધ કરવાની જાહેરાત બાદથી રિઝર્વ બેંકે જૂની નોટ બદલવા અથવા જમા કરાવવાની વ્યવસ્થા કરી છે.
Published at : 22 Nov 2016 10:16 AM (IST)
View More























