પટનાઃ મહાગઠબંધન પર નરેન્દ્ર મોદી અને અરુણ જેટલી બાદ હવે કેન્દ્રીય મંત્રી આર કે સિંહે પણ નિશાન સાધ્યુ છે. આર કે સિંહે કહ્યું કે, મહાગઠબંધનમાં બધા ચોર ભેગા થયા છે. આર કે સિંહનું નિવેદન કોલકત્તામાં મમતા બેનર્જી સાથે 20થી વિપક્ષી દળોના એકઠા થવા પર આવ્યુ છે.
2/4
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મહારેલીમાં એક મંચ પર 20થી વધુ વિપક્ષી દળો સાથે આવ્યા હતા, જેને મહાગઠબંધનના સંકેત આપ્યા હતા. આ મહાગઠબંધન 2019ની લોકસભાની ચૂંટણીને લઇને કરવામાં આવ્યુ હતુ.
3/4
4/4
કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે મમતા બેનર્જી અને મહાગઠબંધન પર નિશાન તાકતા કહ્યું હતું કે, મહાગઠબંધનમાં એકસાથે આવેલા બધા વિપક્ષી પક્ષો ચોર છે, એટલું જ નહીં તેમને કહ્યું મમતા બેનર્જી સરકારી પૈસાનો દુરપયોગ કરીને ગુંડાઓ રાખે છે.