શોધખોળ કરો
BJPની મહિલા ધારાસભ્યનું માયાવતી પર વિવાદસ્પદ નિવેદન, કહ્યું “ના તે નર છે ના તો નારી ”
1/4

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં ભાજપના મહિલા ધારાસભ્ય સાધના સિંહે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી પર વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. સાધના સિંહે ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે જે મહિલા સાથે આવી ઘટના બને છે. તેને કલંકિત માનવામાં આવે છે. તેમણે માયાવતીને લઈને કહ્યું તે ના તો નર છે ના તો નારી તે કિન્નરથી પણ વધુ બદતર છે. જ્યારે સાધના સિંહ અમર્યાદિત નિવેદન આપી રહી હતી ત્યારે ત્યારે મંચ પર પાર્ટીના મહામંત્રી પંકજ સિંહ પણ ઉપસ્થિત હતા.
2/4

સાધના સિંહે આગળ કહ્યું કે જે દિવસે મહિલાનો બ્લાઉઝ, પેટીકોટ અને સાડી ફાટી જાય, તે મહિલા સત્તા માટે આગળ આવતી નથી. તેને આખા દેશની મહિલા કલંકિત માને છે. તેઓ તો કિન્નરથી પણ વધુ બદતર છે. કારણ કે ના તો તે નર છે અને ના તો મહિલા છે.
Published at : 20 Jan 2019 09:19 AM (IST)
View More




















