શોધખોળ કરો
આજે 33 લાખ કેન્દ્રિય કર્મચારીઓ હડતાળ પર, જાણો કઈ સેવા પર પડશે અસર
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 16 Mar 2017 07:29 AM (IST)
1/4

(૯)તમામ ખાલી જગ્યાઓ તાકીદે ભરવી-બાન હટાવવો-ગૃપ સીની ભરણીના નિયમો બદલી હવેથી રીજીયોનલ બેઝ મુજબ ભરતી કરવી. (૧૦)રહેમરાહ નિમણુંક રેલ્વેની જેમ બધા કિસ્સામાં નિમણુંક આપવી (૧૧)નોકરી દરમ્યાન પાંચ પ્રમોશન આપવા. (૧૨) ચાઇલ્ડ કેર લીવ જુની પ્રથા મુજબ ચાલુ રાખવી (૧૩) કેન્દ્રીય કર્મચારીઓ તથા પેન્શનરોને સરકારી અથવા પ્રાઇવેટ હોસ્પીટલમાં કેશ લેશ મેડીકલ સારવાર મંજુર કરવી. (૧૪) OTA રેટ સુધારવા (૧૫) દર પાંચ વર્ષ પગાર સુધારણા કરવા (૧૬) ઇકવલ પે-ઇકવલ વર્ક હુકમનો અમલ કરવો સહિતની વ્યાજબી માંગણીઓની અમલી કરણ કરાવવા આ હડતાલને સફળ બનાવવા શરદભાઇ તેરૈયા (ગુજરાત પ્રમુખ), કે.બી.ચુડાસમાં (રિજીયોનલ સેક્રેટરી), જે.યુ.મહિડા વડોદરા, એમ.એ.દેવમુરારી, દામજીભાઇ ચાવડા પોસ્ટલ યુનિયન અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યાછે.આ હડતાલ સંર્દભે આજે સાંજે દેખાવો સુત્રોચ્ચાર પણ યોજવામાં આવ્યાનું યુનિયન અગ્રણીઓએ ઉમેર્યુ છે.
2/4

મુખ્ય માંગણીઓમાં (૧) ગૃપ ઓફ મિનિસ્ટરના ૬ જુલાઇ ૧૬ના રોજ અપાયેલ અખબારી નિવેદન તથા ખાત્રીનો અમલ કરવો (૨)૧૮૦૦૦ મિનિમમ વેતન વધારી ૨૬૦૦૦ કરવું. (૩)HRA ૧૦-૨૦-૩૦ ટકા મુજબ આપવું (૪) નવી પેન્શન પ્રથા રદ કરવી (૫)GDS કર્મચારીને કાયમી દરજ્જો તેમજ વેતન કમીટીનો અહેવાલ સ્વીકારવો. (૬) કન્ટીજન્ટ સ્ટાફને ૭મું પગારપંચ મુજબ પગાર આપવો. (૭) કર્મચારીઓને હવેથી પ્રમોશન તેમજ ફાયનાન્સીયલ અપગ્રેડેશન માટે ગુડને બદલે વેરીગુડ બેંચ માર્ક મેળવવો પડશે. તેમજ જો આ માર્ક નહિ ળે તો ૨૦ વર્ષ સુધી ઇન્ક્રીમેન્ટ અટકી શકે. આ નિર્ણય રદ કરવો (૮) કર્મચારીઓ પરિક્ષાથી મેળવેલ પ્રમોશન બાદ તેમની નવી નોકરી સાથે MACP પ્રમોશનનો લાભ આપવો.
3/4

સંધર્ષ સમીતીના અધ્યક્ષશ્રી આર.ડી.પુરોહીત તેમજ ગુજરાત NFPE સિનીયર અગ્રણી એસ.કે. વૈષ્ણવની યાદી મુજબ ગત ૧૧ જુલાઇ ૧૬ થી કેન્દ્રીય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ અટકાવવા વડાપ્રધાનની દરમ્યાનગીરીથી યોજાયેલ મિટીંગમાં ગૃહ પ્રધાન શ્રી રાજનાથસિંહ, નાણાં પ્રધાન શ્રી અરૂણ જેટલી, રેલવે પ્રધાન શ્રી સુરેશ પ્રભુની ખાત્રી બાદ ૪ માસ માટે હડતાલ મોકુફ રહેલ. પરંતુ ૮ માસ વિતી જવા છતા વચનનું પાલન નહિ થતા કર્મચારીઓ છેતરપીડીંનો ભોગ બનતા નાછુટકે ૧૬-૩ની એક દિવસની હડતાલ પાડી દેશના કેન્દ્રીય કર્મચારીઓ સહિત પોસ્ટલ કર્મચારીઓ હડતાલમાં જોડાય લડત તેજ બનાવશે.
4/4

રાજકોટ: દેશના ૩૩ લાખ કેન્દ્રીય કર્મચારીઓ તેમજ ૩૪ લાખ પેન્શનરોના સન્માન તેમજ હિત સંર્દભે સરકારની ગત ૬ જુલાઇ ૨૦૧૬ના યુનિયન મહામંડળ સાથે ગૃપ ઓફ મિનિસ્ટરના ૪ માસમાં ૨૧ માંગણીઓનો ઉકેલ લાવી આપવાની ખાત્રી બાદ આજે ૮ માસ વિતી જવા છતા એક પણ માંગણી ઉપર ઉકેલ નહિ આવતા યુનિયન મહામંડળે તેમની સાથે વચન ભંગ સાથે વિશ્વાસઘાત થયાની લાગણી સાથે દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ કોન્ફડરેશન તેમજ ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોયઝ યુનિયન મહામંડળે સરકારની નિતીનો વિરોધ કરી ૨૧ માંગ સ્વીકાર કરાવવા ફરજ પાડવા આજે એક દિવસની હડતાલ પાડી ઉગ્ર રોષ પ્રગટ કરવાની જાહેરાત કરી છે.
Published at : 16 Mar 2017 07:29 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
દેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ
ગુજરાત
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
બિઝનેસ
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
બિઝનેસ
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
ટ્રેન્ડિંગ સમાચાર






















