નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતાદળ સેક્યૂલર (જેડીએસ) સરકાર બનાવવા જઇ રહી છે. એચડી કુમારસ્વામી બુધવારે રાજ્યમાં નવા સીએમ તરીકે શપથ લેશે. જોકે, આ બધાની વચ્ચે કોંગ્રેસમાં આંતરિક કલહ સામે આવ્યો છે. ઉપમુખ્યમંત્રી બનાવવાને લઇને વિવાદ થયો છે.
2/7
દલિત ચહેરાને ઉપમુખ્યમંત્રી બનાવવાની રેસમાં સૌથી આગળ કોંગ્રેસ નેતા જી. પરમેશ્વરનું નામ ચાલી રહ્યું છે. જેડીએસએ વળી એક મુસ્લિમ ડેપ્યૂટી સીએમ બનાવવાનું કાર્ડ રમ્યુ છે, હવે આ બધાની વચ્ચે લિંગાયત સમુદાયમાંથી પણ ડેપ્યૂટી સીએમ બચનાવવાની માંગ કોંગ્રેસમાં ઉઠી છે. કર્ણાટકમાં સરકાર બનાવ્યા પહેલા જ ઉપમુખ્યમંત્રી પદને લઇને પાર્ટીઓમાં આંતરિક વિવાદો ચરમસીમાએ પહોંચ્યા છે.
3/7
નોંધનીય છે કે, એચડી કુમારસ્વામી દક્ષિણ કર્ણાટકમાંથી આવે છે અને કોંગ્રેસના જે. પરમેશ્વરા પણ તે જ વિસ્તારમાંથી આવે છે, જ્યારે શમનૂર શિવશંકરપ્પા સેન્ટ્રલ કર્ણાટકમાંથી આવે છે.
4/7
કોંગ્રેસ પાર્ટીમાં લિંગાયત સમુદાયના 18 ધારાસભ્યો જીતીને આવ્યા છે. સિદ્ધારમૈયા સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા અને સતત પાંચવારના ધારાસભ્ય લિંગાયત નેતા શમનૂર શિવશંકરપ્પાને લિંગાયત ધારાસભ્યોને એકજૂથ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
5/7
કર્ણાટકમાં યેદુરપ્પાનાના મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ બીજેપીની નજર કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યો ઉપર હતી. કહેવાઇ રહ્યુ છે કે, કોંગ્રેસના લિંગાયત નેતા વોક્કાલિંગા સમુદાયમાંથી આવનારા જેડીએસ નેતા કુમારસ્વામીના સીએમ પદના સમર્થન આપવાને લઇને નારાજ છે. એવી પણ શંકા હતી કે આ લિંગાયત ધારાસભ્યો યેદુરપ્પાના પક્ષમાં પલટાઇ શકે છે. જોકે, હવે લિંગાયત ડેપ્યૂટી સીએમની પણ માંગ ઉઠી છે.
6/7
દાવણગેરે દક્ષિણ વિધાનસભા બેઠક પરથી શમનૂર શિવશંકરપ્પાએ જીત મેળવી છે. તેમની બીજેપીના યશવંતરાય જાધવને હરાવ્યા છે. અખિલ ભારત વીરશૈવ મહાસભાના તે રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
7/7
લિંગાયત સમુદાયના સંગઠન અખિલ ભારત વીરશૈવ મહાસભાના નેતા તિપ્પાનાએ ખુલ્લો પત્ર લખીને કોંગ્રેસ ધારાસભ્ય શમનૂર શિવશંકરપ્પાને ઉપમુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. તિપ્પાનાને કહ્યું કે બીજેપીમાં જવાની પણ તેને ઓફર મળી હતી પણ તે કોંગ્રેસ પાર્ટી છોડીને નથી ગયા. આવામાં પાર્ટી તેમને ડેપ્યૂટી સીએમ બનાવે.