શોધખોળ કરો

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સત્રનું આહ્વાન કર્યું; અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આપી વિસ્તૃત માહિતી, ધારાસભ્યો એક અઠવાડિયા સુધી ઓનલાઇન પ્રશ્નો રજૂ કરી શકશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત વિધાનસભાનું 9મું ચોમાસુ સત્ર 8-10 સપ્ટેમ્બરે મળશે.
  • આ સત્ર દરમિયાન સરકારી કામકાજ, વિધેયકો અને પ્રશ્નોત્તરી ચર્ચાશે.
  • ધારાસભ્યો ઓનલાઈન પ્રશ્નો રજૂ કરી શકશે, જેના પર ગૃહમાં ચર્ચા થશે.

Gujarat Assembly Monsoon Session: ગુજરાતના રાજકારણ અને વિધાનસભાની કાર્યવાહીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર ખાતે વિધાનસભાના 9મા અને ચોમાસા સત્રની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ ચોમાસુ સત્રનું આહ્વાન કર્યું છે. આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી આ સત્ર મળશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ સત્ર અંગેની વિસ્તૃત માહિતી આપી છે. આ ત્રણ દિવસના ટૂંકા સત્ર દરમિયાન સરકારી કામકાજ, વિધેયકો (બિલો) અને પ્રશ્નોત્તરી સહિતના મહત્વના મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે.

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ આપેલી જાણકારી મુજબ, રાજ્યપાલના આહ્વાન બાદ હવે વિધાનસભા સત્રની સત્તાવાર શરૂઆતની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા આ સત્રમાં વિવિધ સરકારી કામકાજો હાથ ધરવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના સરકારી વિધેયકો પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, સત્રના છેલ્લા દિવસનો પ્રસ્તાવ અને વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિ દ્વારા જે પણ કામો નિશ્ચિત કરવામાં આવ્યા છે, તે તમામ એજન્ડા આ 3 દિવસના સત્ર દરમિયાન પૂરા કરવામાં આવશે.

આ ચોમાસુ સત્રમાં પ્રજાના પ્રશ્નોને પણ પૂરતું મહત્વ આપવામાં આવશે. રાજ્યના તમામ માનનીય ધારાસભ્યો પોતાના મતવિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નો ગૃહમાં સારી રીતે રજૂ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સત્રનું આહ્વાન થયા બાદ હવે આગામી 1 અઠવાડિયા સુધી તમામ ધારાસભ્યો ઓનલાઇન માધ્યમથી પોતાના પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરી શકશે. ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા આ ઓનલાઇન પ્રશ્નો પર સત્ર દરમિયાન આવતા પ્રશ્નોત્તરી કાળમાં ગૃહમાં સત્તાવાર રીતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

Frequently Asked Questions

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ક્યારે યોજાશે?

ગુજરાત વિધાનસભાનું 9મું ચોમાસુ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી યોજાશે.

વિધાનસભાના ચોમાસુ સત્રનું આહ્વાન કોણે કર્યું છે?

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ ચોમાસુ સત્રનું સત્તાવાર આહ્વાન કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અંગે વિસ્તૃત માહિતી આપી છે.

આ ચોમાસુ સત્રમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે?

આ ત્રણ દિવસના સત્ર દરમિયાન સરકારી કામકાજ, વિવિધ વિધેયકો (બિલો) અને પ્રશ્નોત્તરી સહિતના મહત્વના મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. પ્રજાના પ્રશ્નોને પણ પૂરતું મહત્વ અપાશે.

ધારાસભ્યો સત્રમાં પોતાના પ્રશ્નો કેવી રીતે રજૂ કરી શકશે?

સત્રનું આહ્વાન થયા બાદ આગામી એક અઠવાડિયા સુધી તમામ ધારાસભ્યો ઓનલાઇન માધ્યમથી પોતાના પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરી શકશે. આ પ્રશ્નો પર સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે.

Advertisement

ટોપ સ્ટોરી

સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Advertisement

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના ધોળકામાં ઢોરની અડફેટે યુવકનું મોત
Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિ.મી. દૂર નોંધાયું
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Embed widget