શોધખોળ કરો
ભારતીય વાયુસેનાનું નામ બદલીને અંબાણી વાયુસેના કરી દેવું જોઈએઃ રાહુલ ગાંધી
1/5

રાહુલે એમ પણ કહ્યું કે, સીબીઆઈ ડાયરેક્ટર રાફેલ મામલાની તપાસ કરવાના હોવાથી રાતોરાત તેમને હટાવી દેવામાં આવ્યા. સીબીઆઈ તપાસમાં બે નામ સામે આવત. પહેલું નરેન્દ્ર મોદીનું અને બીજું અનિલ અંબાણીનું પરંતુ દેશના ચોકીદારે ગભરાઈને સીબીઆઈ ડાયરેક્ટરને જ હટાવી દીધા.
2/5

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં દેશ રક્ષાની વાત કરે છે. યુપીએ સરકારે વાયુસેનાને 126 વિમાન ખરીદવાની મંજૂરી આપી હતી. વિમાન દેશમાં બને તેને ભારતના યુવાઓને રોજગારી મળે તેથી અમે એચએએલને કોન્ટ્રાક્ટ આપ્યો. પરંતુ બાદમાં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને અનિલ અંબાણીની સાથે ફ્રાંસ ગયા ત્યારે ત્યાં જઈ કહ્યું કે, ઈન્ડિયન એરફોર્સની વાત છોડો. અમારે અંબાણી એરફોર્સ બનાવવી છે. 126 વિમાન નહીં માત્ર 36 વિમાન જ ખરીદાશે. એચએએલ વિમાન નહીં બનાવે પરંતુ અનિલ અંબાણી બનાવશે.
Published at : 26 Nov 2018 05:14 PM (IST)
View More





















