શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ ત્રણ જગ્યાએ ઘૂસી 8 આતંકીઓને ઠાર માર્યા, 12 જવાનો ઘાયલ
1/5

નવી દિલ્હીઃ સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે ત્રણ અલગ અલગ જગ્યાઓ પર થયેલી અથડામણમાં આઠ આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુના કાકરિયાલમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી ઠાર થયા છે, જેમાં 12 જવાનો પણ ઘાયલ થવાના સમાચાર છે.
2/5

મેજર જનરલ અરવિંદ ભાટીએ જણાવ્યું કે, ટ્રક પર સવાર ત્રણ આતંકીઓએ બુધવારે ઉધમપુરના ઝજ્જર-કોટલી ચેકપૉસ્ટ પર હુમલો કર્યો હતો. આમાં એક સીઆરપીએફ જવાન અને ફોરેસ્ટ ગાર્ડ ઇજાગ્રસ્ત થયો હતો. સુરક્ષાદળોએ બુધવારે આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓએ તાજેતરમાં જ સાંબા, બેબિયા આંતરરાષ્ટ્રીય બોર્ડર ઘૂસણખોરી કરી હતી. આની મદદ એક ટ્રક ડ્રાઇવરે કરી હતી. પોલીસે તે ટ્રક પણ જપ્ત કરી લીધો છે જેમાં આતંકીઓ રહેણાંક વિસ્તાર સુધી આવ્યા હતા.
Published at : 14 Sep 2018 08:06 AM (IST)
Tags :
MilitantView More























