શોધખોળ કરો
આ વખત નબળું રહેશે ચોમાસું, અલ-નીનોના કારણે દુકાળની સ્થિતિ ઉભી થવાના અેંધાણ
1/5

અલ નીનોની અસર જુલાઈમાં જોવા મળી શકે છે. ૨૦૧૬માં સારા ચોમાસાને કારણે મજબૂત ખરીફ પાક ઉતર્યો હતો પરંતુ આ વર્ષે તેમાં ખરાબ વર્તારો છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, મધ્ય ભારતમાં ચોમાસુ જૂનના બીજા સપ્તાહમાં પહોંચતું હોય છે. જ્યારે ઉત્તર ભારતમાં ૨૨ ૨૪ જૂન સુધીમાં ભારતમાં ચોમાસુ પહોંચવાની સંભાવના રહે છે.
2/5

એજન્સીના માનવા પ્રમાણે, નબળા ચોમાસા માટે અલ નીનોની અસર જવાબદાર છે. અલ નીનો ફરી એક વખત ભારતના ચોમાસા માટે જોખમી પુરવાર થવાનું છે. ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અલ નીનો વધવાને કારણે એશિયામાં દુકાળ અને દક્ષિણ અમેરિકામાં અતિશય વરસાદની સંભાવના વધી છે. એજન્સીના માનવા પ્રમાણે અલ નીનોની સંભાવના કમસે કમ ૬૦ ટકા જેટલી છે.
Published at : 28 Mar 2017 06:56 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















