શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આતંકીઓની ક્રૂરતાઃ જવાનનું માથું વાઢીને લઈ ગયા, એક હુમલાખોર ઠાર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/29065408/2-flash-one-soldier-lost-his-life-during-ceasefire-violations-by-pakistan-in-machil-sector-of-kupwara-district.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![દરમિયાન, સલામતી દળોએ બે વિવિધ ઓપરેશન્સમાં જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લા અને શહેરમાં એક પોલીસકર્મી સહિત છ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. લશ્કર એ તોઇબાના આતંકીઓની હાજરી અંગે બાતમી મળતાં જ સલામતી દળોએ બાટામાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ પાસેથી મોટાપાયે શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. પકડાયેલાં આતંકવાદીઓમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/29065547/3-indian-army.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરમિયાન, સલામતી દળોએ બે વિવિધ ઓપરેશન્સમાં જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લા અને શહેરમાં એક પોલીસકર્મી સહિત છ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. લશ્કર એ તોઇબાના આતંકીઓની હાજરી અંગે બાતમી મળતાં જ સલામતી દળોએ બાટામાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ પાસેથી મોટાપાયે શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. પકડાયેલાં આતંકવાદીઓમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.
2/3
![જમ્મુઃ પાકિસ્તાને તમામ હદ પાર કરી દીધી છે. એક બર્બર ઘટનામાં પાકિસ્તાનમાંથી આતંકવાદીઓએ શુક્રવારે ભારતીય સરહદમાં ઘૂસી જઈને એક ભારતીય જવાનની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, તેનું માથું પણ કાપી નાખીને લઈને સરહદ પાર જતા રહ્યા હતા. જવાનનું નામ મનજિતસિંઘ જણાવાયું છે. આ ઘટના કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં બની હતી. ભારતીય જવાનોએ વળતો હુમલો કર્યો હતો, જેમાં એક હુમલાખોર માર્યો ગયો છે. ઘટનાને પગલે ભારે રોષ ફેલાઈ ગયો છે, સેનાએ પણ બદલો લેવાનું કહ્યું છે તે જોતાં સરહદ પર વધુ લોહિયાળ જંગ ખેલાશે તેવી શક્યતા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/29065408/2-flash-one-soldier-lost-his-life-during-ceasefire-violations-by-pakistan-in-machil-sector-of-kupwara-district.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જમ્મુઃ પાકિસ્તાને તમામ હદ પાર કરી દીધી છે. એક બર્બર ઘટનામાં પાકિસ્તાનમાંથી આતંકવાદીઓએ શુક્રવારે ભારતીય સરહદમાં ઘૂસી જઈને એક ભારતીય જવાનની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, તેનું માથું પણ કાપી નાખીને લઈને સરહદ પાર જતા રહ્યા હતા. જવાનનું નામ મનજિતસિંઘ જણાવાયું છે. આ ઘટના કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં બની હતી. ભારતીય જવાનોએ વળતો હુમલો કર્યો હતો, જેમાં એક હુમલાખોર માર્યો ગયો છે. ઘટનાને પગલે ભારે રોષ ફેલાઈ ગયો છે, સેનાએ પણ બદલો લેવાનું કહ્યું છે તે જોતાં સરહદ પર વધુ લોહિયાળ જંગ ખેલાશે તેવી શક્યતા છે.
3/3
![આ અંગે ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, એલઓસી પર શુક્રવારે સાંજે થયેલા એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થઈ ગયો છે અને એક આતંકવાદી માર્યો ગયો છે. આતંકવાદીઓને પાકિસ્તાની સૈનિકોએ ફાયરિંગ દ્વારા કવર કર્યું હતું, જેને પગલે આતંકીઓ આપણા જવાનનું માથું કાપીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં લઈ ગયા છે. આ ઘટનાની જાણકારી એનએસએ, ગૃહમંત્રાલય અને પીએમઓને આપવામાં આવી હતી. સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં સત્તાવાર અને બિનસત્તાવાર સંગઠનો કઈ હદે ક્રૂર અને બર્બર બની ગયા છે તે આ ઘટના પરથી જાણવા મળે છે. તેમણે કહ્યું કે આ ઘટનાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/29065400/1-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગે ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, એલઓસી પર શુક્રવારે સાંજે થયેલા એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થઈ ગયો છે અને એક આતંકવાદી માર્યો ગયો છે. આતંકવાદીઓને પાકિસ્તાની સૈનિકોએ ફાયરિંગ દ્વારા કવર કર્યું હતું, જેને પગલે આતંકીઓ આપણા જવાનનું માથું કાપીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં લઈ ગયા છે. આ ઘટનાની જાણકારી એનએસએ, ગૃહમંત્રાલય અને પીએમઓને આપવામાં આવી હતી. સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં સત્તાવાર અને બિનસત્તાવાર સંગઠનો કઈ હદે ક્રૂર અને બર્બર બની ગયા છે તે આ ઘટના પરથી જાણવા મળે છે. તેમણે કહ્યું કે આ ઘટનાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
Published at : 29 Oct 2016 06:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)