શોધખોળ કરો
સવર્ણોને આર્થિક અનામતનો ખરડો રાજ્યસભામાં રજૂ, વિપક્ષે મચાવ્યો હોબાળો
1/3

નવી દિલ્હીઃ આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવા માટે મંગળવારે લોકસબામાં સોશિધિત બિલ પસાર થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણવામાં આવે છે. હવે કેન્દ્ર સરકાર સામે આ બિલને રાજ્યસભામાં પસાર કરાવવાનો પડકાર છે. રાજ્યસભામાં એનડીએ સરકારની પાસે બહુમત નથી, એવામાં આજે સરકાર કેવી રીતે આ બિલ પસાર કરાવે છે તે જોવાનું છે.
2/3

કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે 124માં બંધારણ સંશોધન ખરડાને લોકસભામાં રજૂ કર્યો હતો. ચર્ચાની શરૂઆત કરતાં તેઓએ કહ્યું, "આ 10% આરક્ષણ તમામ ધર્મના લોકો માટે છે. ખાનગી શૈક્ષેણિક સંસ્થાનોમાં પણ આ આરક્ષણ લાગૂ થશે." ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સવર્ણોને અનામત બંધારણની અવહેલના, આ બિલથી આંબેડકરનું અપમાન થયું છે. આ સાથે કોંગ્રેસ સાંસદ કેવી થોમસે કહ્યું- બિલનો વિરોધ નથી કરી રહ્યાં, પરંતુ અમારી માંગ છે કે આ પહેલાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની સમક્ષ મોકલાવું જોઈએ.
Published at : 09 Jan 2019 09:21 AM (IST)
View More




















