શોધખોળ કરો
હિમાચલ પ્રદેશમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકી, 27 બાળકો સહિત 30ના મોત
1/3

જાણકારી અનુસાર, પ્રાઈવેટ સ્કૂલની આ બસ બાળકોને ઘરે છોડવા માટે જઈ રહી હતી એ દરમિયાન નૂરપુર-મલકવાલ પાસે પલટી જતા આશરે દોઢ સો ફૂટ ઉંડી ખાઈમાં ખાબકી હતી. બલજીત રામ પઠાનિયા સ્કૂલની આ બસ મલકવાલથી ઠેહડ પાસે દુર્ઘટનાનો શિકાર બની હતી. ઘાયલ બાળકોને સિવિલ હોસ્પિટલ નૂરપુર અને પ્રાઈવેટ હોસ્પિટલ પઠાણકોણ મોકલવામાં આવ્યા છે.
2/3

જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 35 બાળકો સવાર હતા. મૃત્યું પામેલા બાળકો નર્સરીથી લઈને પાંચમા ધોરણ સુધીના છે. તમામ બાળકો 10 વર્ષથી ઓછી ઉંમરન છે. તમામ ઘાયલ લોકોને પ્રાઈવેટ હોસ્પિટલ પઠાણકોટ મોકલવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે.
Published at : 09 Apr 2018 08:05 PM (IST)
Tags :
Himachal PradeshView More























