કમલનાથ માત્ર 22 વર્ષની ઉંમરે જ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની રાજનીતિ અને નહેરુ પરિવારમાં કમલનાથનું મહત્ત્વ કેટલું છે એનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય કે એક સમયે રાજનીતિમાં એક વાત પ્રચલિત હતી...‘ઇન્દિરા ગાંધીના બે હાથ સંજય ગાંધી અને કમલનાથ’.
2/7
કમલનાથની આ જીત પાર્ટી માટે એક હદ સુધી સંજીવની સાબિત થઈ. કમલનાથ 34 વર્ષની ઉંમરમાં સંસદ હોંચ્યા. ત્યાર બાદ કમલનાથ 9 વખત છિંતવાડા લોકસભા સીટથી સંસદ સુધી પહોંચવામાં સફળ રહ્યા.
વાત છે 1975ની જ્યારે કોંગ્રેસ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. ત્યાર બાદ 23 જૂન 1980ના રોજ સંજય ગાંધીના મોતના અહેવાલે નહેરૂ પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો. કોંગ્રેસમાં ઉથલપાથલનો સમય હતો.
5/7
આ અંતર માત્ર બે સ્કૂલનું ન હતું પરંતુ બે મિત્રોના દિલોનું હતું. આ મિત્રતા રાજકારણમાં પણ ચર્ચામાં રહી હતી કારણ કે બન્ને મોટેભાગે સાથે રહેતા હતા.
6/7
સમયની સાથે કમલનાથ અને સંજય ગાંધીની મિત્રતા દિવસને દિવસે વધતી ગઈ. પરંતુ બન્નેની મિત્રતા વચ્ચે અંતર ત્યારે આવ્યું જ્યારે કમલનાથ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ચાલ્યા ગયા.
7/7
નવી દિલ્હીઃ 18 નવેમ્બરે 1946ના રોજ કાનપુરમાં જન્મેલ કમલનાથ આજે મધ્ય પ્રદેશ જ નહીં પંરતુ દેશમાં કોંગ્રેસનો એક મોટો ચહેરો છે. કમલનાથે પ્રારંભિક શિક્ષણ કાનપુરમાં લીધું છે. પિતા મહેન્દ્ર નાથની ઈચ્છા હતી કે કમલનાથ વકીલ બને. પરંત કમલનાથના નસીબમાં તો કંઈક બીજું જ લખ્યું હતું. શરૂઆતના શિક્ષણ બાદ કમલનાથ આગળના અભ્યાસ માટે દેહરાદૂનની દૂન સ્કૂલમાં ગયા. આ સ્કૂલમાં તેની સાથે ઇન્દિરા ગાંધીના મોટા દીકરા સંજંય ગાંધી પણ ભણતા હતા. કાનપુરથી મધ્ય પ્રદેશ સુધી કમલનાથ કેવી રીતે પહોંચ્યા એ પણ રસપ્રદ કહાની છે.