શોધખોળ કરો
કરુણાનિધિના રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર, અંતિમ યાત્રામાં લાખો સમર્થકો જોડાયા
1/5

ચેન્નઈઃ દક્ષિણ ભારતના દિગ્ગજ નેતા એમ કરુણાનિધિને રાષ્ટ્રીય સન્માન સાથે તમિલનાડુના પ્રથમ મુખ્યમંત્રી અને તેમના ગુરુ રહેલા અન્ના દુરેની સમાધિની બાજુમાં દફનાવવામાં આવ્યા છે. કરુણાનિધિની અંતિમ યાત્રામાં લાખો સમર્થકો જોડાયા હતા. મરિના બીચ પર કરૂણાનિધિની સમાધિ બનાવવામાં આવી હતી. હતો. મંગળવારે સાંજે 94 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ કરુણાનિધિનું કાવેરી હોસ્પિટલમાં અવસાન થયું હતું. કરુણાનિધિના પરિવારે મરીના બીચ પર તેમને શ્રંદ્ધાજલિ આપી
2/5

કરુણાનિધિના નિધનથી સમગ્ર તમિલનાડુમાં શોકનો માહોલ છે. તેમના ચાહકો ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શરાબની દુકાનો અને સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત સ્કૂલ-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી.
Published at : 08 Aug 2018 09:06 AM (IST)
View More



















