પણ બધાની વચ્ચે હવે ઇદ પુરી થયા પછી સીઝફાયર પણ ખતમ થઇ ગયું અને સેનાએ જંગલમાં આતંકીઓ સંતાયા હોવાની ખબર મળતાં જ મોરચો સંભાળી લીધો છે. સેનાએ ઓપરેશન ઓલઆઉટ શરૂ કરી દીધુ અને માત્ર 48 કલાકના સમયમાં જ 5 આતંકીઓને ઠાર માર્યા છે.
2/6
3/6
4/6
ઉલ્લેખનીય છે કે, ઇદ દરમિયાન રજા પર ઘરે જઇ રહેલા જવાન ઔરંગઝેબને આતંકીઓએ કિડનેપ કરી લીધો અને બાદમાં તેની હત્યા કરી નાંખી હતી. જેના કારણે સેના હવે આકરા મૂડમાં આવી ગઇ છે. સરકારે પણ સેનાના હાથ છુટા કરી દીધા છે.
5/6
સેનાએ 18 જુને જંગલમાં છુપાયેલા 2 આતંકીઓને ઠાર માર્યા. બાદમાં 19 જુને ત્રાલમાં સેનાએ મોટી કાર્યવાહી કરી, જેમાં હયના ગામમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતાં. આ ત્રણેય આતંકી જૈશ સાથે જોડાયેલા હતા.
6/6
નવી દિલ્હીઃ કાશ્મીરમાં પથ્થરબાજી, આતંકી વારદાતો અને આતંકીઓ સાથે અથડામણ તો પહેલા પણ થતાં રહ્યાં છે, પણ ત્રણ વર્ષોમાં આ બધી ઘટનાઓ એકદમ ઝડપથી વધી. પથ્થરમારાની 4799 ઘટનાઓ થઇ, અને તેમાં સુરક્ષાદળોના 12 હજાર જવાનો ઘાયલ થયા. ત્રણ વર્ષમાં 591 આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા પણ દરમિયાન સુરક્ષાદળોના 252 જવાન શહીદ પણ થયા.