શોધખોળ કરો
મોદી સરકાર શરૂ કરવા જઈ રહી છે ધો.૬થી પાસ-ફેઇલની નીતિ, કાયદા મંત્રાલયે આપી મંજૂરી
1/4

એચઆરડી મંત્રાલય તરફથી પ્રસ્તાવિત સંશોધનમાં જણાવેલ છે કે, ધોરણ-પ સુધી કોઇપણ વિદ્યાર્થીને ન તો ફેઇલ કરવામાં આવે કે ન તો બીજા ધોરણમાં લઇ જવામાં આવે. તેને કલમ-૩૮ની ઉપકલમ નાખવાને મંજુરી આપી છે પરંતુ કાયદા મંત્રાલયે આ પ્રસ્તાવ પર વાંધો ઉઠાવ્યો છે અને જે હેઠળ કહેવાયુ છે કે બ્લોક લેવલ પર એક સરકારી અધિકારીને પાછળ છુટેલ વિદ્યાર્થીનો રેકોર્ડ રાખવા નિયુકત કરવામાં આવે.
2/4

પાસ-ફેઇલ સિસ્ટમને ફરીથી શરૂ કરવા અનેક રાજયોની માંગણી બાદ ર૦૧પમાં સરકારે એક કમીટીની રચના કરી હતી. પેનલે નો-ડીટેન્શન પોલીસીમાં નકારાત્મક પ્રભાવને માન્યુ હતુ. સાથોસાથ ૯માં ધોરણમાં મોટી સંખ્યાઓમાં છાત્રોને ફેઇલ કરવાની રાજય સરકારની ચિંતાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેના પર કાયદા મંત્રાલયે આરટીઇ એકટની કલમ-૧૬માં ફેરફારો કરવાને લઇને સવાલો અંગે લખ્યુ હતુ.
Published at : 24 Dec 2016 11:41 AM (IST)
View More























