શોધખોળ કરો
માલેગાંવ બ્લાસ્ટ્સઃ બોમ્બે હાઈકોર્ટે સાધ્વી પ્રજ્ઞાને આપ્યા જામીન, કર્નલ પુરોહિતને રાહત નહીં
1/5

વર્ષ 2008માં તા. 8મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના માલેગાંવની હામિદીયા મસ્જિદની બહાર બ્લાસ્ટ્સ થયા હતા. જેમાં 37 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 100થી વધુ ઘાયલ થયાં હતાં. મહારાષ્ટ્ર ATS (એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ)ની ચાર્જસીટ પ્રમાણે, લેફ. કર્નલ પુરોહિત તથા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત 12 કથિત 'હિન્દુ આતંકવાદીઓ'એ આ બ્લાસ્ટ્સને અંજામ આપ્યો હતો.
2/5

મુંબઈ 2008ના માલેગાંવ બ્લાસ્ટ્સ મામલે બોમ્બે હાઈકોર્ટે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને 5 લાખની રકમના શરતી જામીન આપ્યા છે. જ્યારે કર્નલ પુરોહિતની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આ પહેલા તપાસ એજન્સી એનઆઈએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પોતાની તપાસમાં ક્લીન ચિટ આપી હોવા છતાં ટ્રાયલ કોર્ટે સાધ્વીની જામીન અરજી ફગાવી દીધી હતી.
Published at : 25 Apr 2017 12:43 PM (IST)
Tags :
Bombay High CourtView More























