લખનઉઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક વ્યક્તિએ ઓલા કેબ બુકિંગ એટલા માટે કેન્સલ કરી દીધી કારણ કે તેનો ડ્રાઇવર મુસ્લિમ હતો. કેબ કેન્સલ કરનાર વ્યક્તિ અભિષેક મિશ્રાએ આ વાત ટ્વિટર પર જણાવી હતી. અભિષેકે ટ્વિટર પર પોતાને વિશ્વ હિન્દુ પરિષદનો સભ્ય ગણાવે છે.
2/4
અભિષેકના ટ્વિટ બાદ અનેક લોકોએ તેની ટીકા કરી હતી. આ મામલે ઓલા કંપનીનો પણ જવાબ આવ્યો હતો. ઓલાએ ટ્વિટ કરી અભિષેકની ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે, આપણા દેશની જેમ ઓલા પણ સેક્યુલર છે અને અમે અમારા ડ્રાઇવર અથવા ગ્રાહકોમાં જાતિ, ધર્મ કે લિંગના આધારે કોઇ ભેદભાવ કરતા નથી. અમે અમારા તમામ ગ્રાહકો અને ડ્રાઇવરોને આગ્રહ કરીએ છીએ કે તેઓ એકબીજાનું સન્માન કરે.
3/4
વાસ્તવમાં આ ઘટના 20 એપ્રિલની છે. અભિષેકે લખનઉની બટલર કોલોનીથી પોલિટેકનિક બસ સ્ટેન્ડ જવા માટે એક ઓલા કેબ બુક કરી હતી. પરંતુ કેબના ડ્રાઇવરનું નામ મસૂદ અસલમ આવતા તેણે કેબ કેન્સલ કરી દીધી હતી. અભિષેકે કેબ કેન્સલ કરીને તેનો સ્ક્રિનશોર્ટ લઇ ટ્વિટર પર પોસ્ટ પણ કરી દીધો. સાથે લખ્યું કે, મે ઓલા કેબ કેન્સલ કરી દીધી કારણ કે તેનો ડ્રાઇવર મુસ્લિમ હતો. હું મારા પૈસા જેહાદી લોકોને આપવા માંગતો નથી.