શોધખોળ કરો
AAP ધારાસભ્યોની સદસ્યતા રદ થવા પાછળ આ વ્યક્તિનું દિમાગ? જાણો કોણ છે
1/4

ચૂંટણી પંચે એક વકીલ પ્રશાંત પટેલની ફરિયાદ બાદ રાષ્ટ્રપતિને આ ભલામણ કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે, પ્રશાંત પટેલ હિન્દુ લીગલ સેલના સભ્ય છે. તેમણે જૂન 2015માં તત્કાલિન રાષ્ટ્રપતિ સમક્ષ અરજી દાખલ કરીને સંસદીય સચિવોની ગેરકાયદેસર નિમણૂક પર સવાલ ઉભા કર્યા હતા.
2/4

પ્રશાંત પટેલે ઇલાહાબાદ યુનિવર્સિટીની ક્રિસ્ચન કોલેજમાંથી ફિઝિક્સ અને ક્રિએટિવ ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. નોઇડાની ચૌધરીચરણ સિંહ યુનિવર્સિટીમાંથી કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિલ્હી સરકારે માર્ચ, 2015માં 21 ધારાસભ્યોને સંસદીય સચિવો બનાવ્યા હતા. જેને લઇને બીજેપી અને કોગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. પ્રશાંત પટેલે આના વિરુદ્ધમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે, આ 21 ધારાસભ્ય લાભના પદ પર છે જેથી તેમની સદસ્યતા રદ કરવામાં આવવી જોઇએ.
Published at : 20 Jan 2018 10:07 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















