"આ કોંગ્રેસના નામદાર સોનાની ચમચી લઇને પેદા થયા છે. અને આ સોનું કોલારનું નથી, આ તો વિદેશનું, ભ્રષ્ટાચારમાંથી આવેલું સોનું છે." "ટોયલેટ નથી તો માતા-બહેનોને શું પરેશાની થાય છે, તે તેમને 70 વર્ષ સુધી સમજાયું નથી. અને આજે મોદી દેશભરમાં ટોયલેટ બનાવી રહ્યા છે તો કહે છે કે મોદી અમીરો માટે કામ કરે છે. શું મોદીને અમીરો માટે 500 ટોયલેટ્સ બનાવવાની જરૂર છે ખરી?"
2/7
મોદી બોલ્યા, "કોંગ્રેસ 6 પ્રકારના રોગોથી ગ્રસ્ત છે અને તે જ્યાં જાય છે ત્યાં આ 6 રોગોને વાયરલ કરે છે. આ રોગો છે- કોંગ્રેસ કલ્ચર, કોમ્યુનાલિઝમ, કાસ્ટિઝમ, ક્રાઇમ, કરપ્શન, કોન્ટ્રાક્ટર સિસ્ટમ. આ છ C કર્ણાટકના ભવિષ્યને નષ્ટ કરી રહ્યા છે."
3/7
એટલે કે ગઠબંધન દળોનું જ થવું હોય તો થશે, 40 વર્ષથી રાહ જોઇ રહેલા નેતાઓનું જે થવુ હોય તે થશે. તેને લાઇનમાં પોતાની ડોલ પહેલા મુકી દીધી. કહ્યું હું વડાપ્રધાન બનીશ. આ અહંકારી નામદારનું પોતાને વડાપ્રધાન જાહેર કરવો, એ કોંગ્રેસની અપરિપક્વતાને વ્યક્ત કરે છે.
4/7
બેગ્લુંરુઃ નરેન્દ્ર મોદીએ બુધવારે કર્ણાટકના બંગારપેટની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાના સપના વાળા નિવેદનને લઇને નિશાન સાધ્યું. વડાપ્રધાને કહ્યું કે, નામદારે (રાહુલે) કોંગ્રેસના અનુભવી નેતાઓ અને ગઠબંધન વાળા દળોને કિનારે કરીને ખુદને વડાપ્રધાન જાહેર કરી દીધા છે. આ નામદાર પાર્ટીનો અહંકાર નથી તો શું છે?
5/7
2019 પહેલા પોતાને વડાપ્રધાન જાહેર કરી દેવો, હું તમને પુછુ છે કે નામદારનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે કે નહીં?
6/7
નરેન્દ્ર મોદીએ કહ્યું કે "ગામમાં પાણીનું ટેન્કર આવતા પહેલા જ લોકો લાઇનમાં ડોલ મુકી દે છે. તે ઇમાનદાર ડોલ મુકીને પોતપોતાના કામમાં લાગી જાય છે. 3 વાગે ટેન્કર આવે છે તો લોકો વારાફરથી પાણી ભરે છે. પણ જો ગામમાં કોઇ દબંગ હોય તો તે લોકતંત્રને માનતો નથી. તે ત્રણ બરાબર 3 વાગે પહોંચે છે. છાતી કાઢીને નીકળે છે અને પોતાની ડોલ પહેલા મુકી દે છે અને ટેન્કરનું પાણી પોતેજ લઇ લે છે. બાકીની લાઇનનું જે થવું હોય તે થાય, હિન્દુસ્તાનમાં, હિન્દુસ્તાનની રાજનીતિમાં કાલે આવું જ કંઇક થયું.
7/7
ઉલ્લેખનીય છે કે, મોદી આજે કર્ણાટકમાં ચાર સભાઓ કરવાના છે. ત્યારબાદ તેમની ચિકમંગલુરુ, બેગલાવી અને બીદરમાં રેલીઓ છે. રાહુલે મંગળવારે બેગ્લુંરુમાં સમુદ્ધ ભારત ફાઉન્ડેશનના પ્રોગ્રામમાં એક સવાલ પર કહ્યું હતું કે જો કોંગ્રેસ 2019 માં સૌથી મોટી પાર્ટી બની તો વડાપ્રધાન કેમ નહીં બનું.