શોધખોળ કરો
ત્રિપુરામાં શાનદાર જીત બાદ PM મોદીએ કહ્યું- આ લોકતંત્રની જીત છે, નકારાત્મક રાજનીતિને લોકોએ નકારી
1/4

પીએમ મોદીએ કહ્યું ભય અને ભ્રમની વચ્ચે અમારી પાર્ટીએ માઓવાદી વિચારના અત્યાચારો સહન કર્યાં છે, આ લોકતંત્રની તાકાત છે ગરીબ અને અભણ મતદાતાએ ચોટનો જવાબ વોટથી આપ્યો છે. અમારા કાર્યકર્તાઓને ગુમવાની પીડા જેટલી અમને હતી તેટલી ત્રિપુરાના લોકોને પણ હતી. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે કૉંગ્રેસના કલ્ચરથી દુર રહે.
2/4

પાર્ટી કાર્યકર્તાઓને પીએમ મોદીએ કહ્યું આ યાત્રા ‘નો વન થી વોન’ અને શૂન્યથી શિખર સુધીની છે. સૂર્ય જ્યારે અસ્ત થાય છે ત્યારે તે લાલ રંગનો હોય છે અને ઊગતો સૂર્ય કેસરી રંગનો હોય છે. ગઈકાલે દેશ હોળીના પર્વ પર અલગ રંગોથી રંગાયો હતો, પરંતુ આજે તમામ રંગ કેસરિયો રંગ બની ગયો છે.
Published at : 03 Mar 2018 08:14 PM (IST)
View More
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
દેશ























