વડાપ્રધાને એમ પણ કહ્યું કે, આ ગૃહનો દરવાજો તમારા માટે બંધ થયો છે પરંતુ વડાપ્રધાન ઓફિસનો દરવાજો તમારા માટે ખુલ્લો છે. તમે જ્યાં પણ રહેશો તમારા વિચારોથી યોગદાન આપશો.
2/4
પીએમે કહ્યું કે, દિલીપ ટર્કી અને સચિન તેંડુલકરનો લાભ આપણને આગામી દિવસોમાં નહીં મળી શકે. આ બંને પર ભારતને ગર્વ છે. ઉપસભાપતિ પીજે કુરિયનને અભિનંદન આપતાં કહ્યું કે તમારું હાસ્ય આ ગૃહ મિસ કરશે.
3/4
નવી દિલ્હીઃ રાજ્યસભામાંથી સેવાનિવૃત્ત થઈ રહેલા 40 સાંસદોની વિદાયના મોકા પર પીએમ મોદીએ ભાષણ આપતાં સૌથી પહેલાં સાંસદોને તેમની ઉત્તમ સેવાઓ અને યોગદાન માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, આ ગૃહ વરિષ્ઠ મહાનુભાવોનું છે. તેમનો અનુભવ જ ગૃહને સારું બનાવે છે.
4/4
મોદીએ કહ્યું કે, ગૃહનું એક મહત્વ હોય છે અને તમે બધાએ આ ભૂમિકા બખૂબી નિભાવી છે. દેશ ઉજ્જવળ ભવિષ્યમાં દરેક સાંસદનું યોગદાન છે. સંસદમાં હંગામાના કારણે વિદાય પહેલા તમે લોકો બોલી ન શક્યા તે માટે આપણે બધા જવાબદાર છીએ. ત્રણ તલાકનું મહત્વપૂર્ણ બિલ થવાની પ્રક્રિયાનો હિસ્સો તમે નહીં હોવ તેનો રંજ રહેશે.