રાજસ્થાનમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ વિરોધની શરૂઆત થઈ હતી. શૂટિંગ સમયે રાજપૂત કરણી સેનાએ અનેક જગ્યાએ પ્રદર્શન કર્યા હતા અને પૂતળા ફૂંક્યા હતા. જયપુરમાં શૂટિંગ દરમિયાન કેટલાક લોકોએ સંજય લીલા ભણશાળી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. જે બાદ કોલ્હાપુરમાં ફિલ્મનો સેટ પણ સળગાવવામાં આવ્યો હતો. આ ઘટના પછી સમગ્ર દેશમાં ફિલ્મ સામે વિરોધ વધતો ગયો.
2/5
રાજસ્થાનના અનેક રાજવી પરિવારો આ ફિલ્મના વિરોધમાં છે. જયપુર રાજઘરાનાના રાજકુમારી દીયા કુમારીએ છેલ્લા થોડા મહિના પહેલા ફિલ્મ સામે સિગ્નેચર કેમ્પેન શરૂ કર્યું હતું આ દરમિયાન તેમણે કહ્યું કે કેમ્પેનમાં મહત્તમ લોકો અને સંગઠનને સાંકળવા માટે ડિવિઝનલ લેવલ પર પણ આયોજન કરવામાં આવશે.
3/5
સંજય લીલા ભણશાલીની અપકમિંગ ફિલ્મ 'પદ્માવત'નું નવું પૉસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના નામ બદલ્યા બાદ આ ફિલ્મનું પહેલું પૉસ્ટર છે. આ નવા પૉસ્ટર દ્વારા મેકર્સે ફિલ્મને નવા નામથી પણ ઇન્ટ્રૉડ્યૂસ કરી છે.
4/5
ફિલ્મ સાથે સંકળાયેલા વિવાદને ખતમ કરવા સેન્સર બોર્ડે રિવ્યુ કમિટીને કેટલીક ભલામણો કરી હતી. સેન્સર બોર્ડે મેકર્સને તેમાં ડિસ્કલેમર નાંખવામાં આવે અને ઘૂમર ગીતમાં ફેરફાર કરવા સહિત કુલ 5 સુધારા કરવા કહ્યું હતું. જે કરી દેવામાં આવતા ફિલ્મ રિલીઝનો માર્ગ મોકળો થયો હતો.
5/5
નવી દિલ્હીઃ પદ્માવતની રિલીઝને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. વિવિધ રાજ્યો દ્વારા ફિલ્મ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને લઈ નિર્માતા કોર્ટમાં ગયા હતા. જેમાં કોર્ટે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને હટાવી ફિલ્મ રિલીઝ કરવા આદેશ કર્યો હતો. ફિલ્મમાં જરૂરી સુધારા બાદ કરણી સેનાએ જે થિયેટરમાં ફિલ્મ રજૂ કરાશે ત્યાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે. દેશભરમાં થઈ રહેલા વિરોધને લઇ આ ફિલ્મ વિવાદમાં છે.