ઉત્તરકાશી જિલ્લામાં ઓજરી ડાબરકોટમાં યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થઇ ગયો છે. તેનાપર ટ્રાફિક શરૂ થઇ ગયો છે. ટિહરી જિલ્લામાં રાતથી જ વરસાદનો સિલસિલો ચાલી રહ્યો છે. વરસાદના લીધે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી આવી ગઇ છે.
2/7
પોલીસે જાહેરાત કરી મુસાફરોને હવામાન વિશે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓને રૂમની બહાર ન નિકળવાની પણ સલાહ આપવામાં આવી છે. પોલીસે મંદિર પરિસરમાંથી મુસાફરોને હટાવી દીધા છે.
3/7
કેદારનાથની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેદારનાથ પગપાળાના માર્ગો પર પડાવો પર યાત્રીઓને અટકાવી દેવાયા છે. વહિવટીતંત્રએ કેદારનાથ જનાર યાત્રીઓ અને ગૌરીકુંડમાં પ્રતિબંધ લગાવ્યો છે.
4/7
બીજી તરફ બે શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં છે. જ્યારે 2 હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ગંભીરતાને જોતાં ગુજરાત સરકારે યાત્રિકો સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને ટુર આયોજક પાસેથી માહિતી મંગાવી છે.
5/7
કેદારનાથમાં રાત્રે 2 વાગ્યાથી સતત હિમવર્ષા થઇ રહી છે અને રસ્તા પર વરસાદના લીધે કેદારનાથથી 4272 યાત્રીઓને 12 વાગ્યા સુધી પરત મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગની ચેતાવણી અને હિમવર્ષાના લીધે વહિવટીતંત્રએ તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પડાવો પર પ્રતિબંધ લગાવ્યો છે.
6/7
ખરાબ હવામાનના કારણે યાત્રિકો અટવાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ગંભીરતાને જોતાં રાજ્ય સરકારે યાત્રિકો સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાત સરકારે જિલ્લા કલેક્ટર અને ટુર આયોજક પાસેથી માહિતી મંગાવી છે. ઉત્તરાખંડ સરકાર પાસેથી પણ માહિતી મંગાવવામાં આવી છે. જોકે હાલ તો 2 દિવસથી હેલિકોપ્ટર સેવા પણ બંધ છે.
7/7
ઉત્તરાખંડ: મે મહિનામાં ઉત્તરાખંડના ચારધામ બરફની ચાદરથી ઢંકાઈ ગઈ છે. કેદારનાથામાં ભારે હિમવર્ષા થઈ હતી. બદ્રીનાથમાં પણ સતત ત્રણ દિવસથી બરફ પડી રહ્યો છે. કેદારનાથમાં ત્રણ ઇંચથી વધુ બરફ પડ્યો છે. હિમવર્ષાને કારણે ઘણાં યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા ગયા છે. ઉત્તર ભારતમાં હવામાન ખરાબ થવાના કારણે કેદારનાથ યાત્રા પર અસર જોવા મળી છે. જેના કારણે હાલ 2 હજારથી વધુ ગુજરાતીઓ યાત્રામાં ફસાયા છે તેવું જાણવા મળ્યું છે.