શોધખોળ કરો

Health Tips:ફળ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક, પરંતુ સાવધાન આ સમયે ખાશો તો થશે નુકસાન

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો જમવાના અડધાથી એક કલાક પહેલા ફળ ખાવામાં આવે તો તે શરીર માટે ઉત્તમ છે. જો તમે ખાધા પછી આ ફળ ખાઓ છો, તો ફળોની વધારાની કેલરી ખોરાકની સાથે શરીરમાં જાય છે.

Health Tips:હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો જમવાના અડધાથી એક કલાક પહેલા ફળ ખાવામાં આવે તો તે શરીર માટે ઉત્તમ છે.  જો તમે ખાધા પછી આ ફળ ખાઓ છો, તો ફળોની વધારાની કેલરી ખોરાકની સાથે શરીરમાં જાય છે.

ફળો આપણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ હોવાનું કહેવાય છે. તેમાંથી આપણને ઘણાં ખનિજો અને વિટામિન્સ તેમજ કેલરી મળે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતને લઈને મૂંઝવણમાં હોય છે કે ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે. ફળો ક્યારે ખાવા જોઈએ, ખાધા પહેલા કે પછી? તો ચાલો આજે આ મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કરીએ. ચાલો જાણીએ કે ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે?

જમતા પહેલા અને પછી ખાવાના ફાયદા અને ગેરફાયદા

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો જમવાના અડધાથી એક કલાક પહેલા ફળ ખાવામાં આવે તો તે શરીરને ઘણું પોષણ આપે છે. જો તમે જમ્યા બાદ  આ ફળ ખાઓ છો, તો ફળોની વધારાની કેલરી ખાવાની સાથે શરીરમાં જતી રહે છે, જેનાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. ખોરાક સાથે ફળો ન ખાવા અને ખાધા પછી તરત જ ન ખાવાનું વધુ સારું છે. ફળો ખાવાનો યોગ્ય સમય સવાર, બપોર અને સાંજ છે, રાત્રે સૂતા પહેલા તરત જ ફળોનું સેવન ન કરવું જોઈએ.

જમ્યા પછી ફળો ખાવાના ગેરફાયદા

આરોગ્ય નિષ્ણાતો જમ્યા પછી તરત જ ફળો ન ખાવાની સલાહ આપે છે. વાસ્તવમાં, શરીર પહેલેથી જ ખોરાક દ્વારા ઘણી બધી કેલરી લે છે, તેને પચ્યા વિના, જો તમે જમ્યા પછી તરત જ ફળો ખાઓ છો, તો શરીરને વધારાની કેલરીની માત્રા સહન કરવી પડે છે. આના કારણે પાચન તંત્ર પર બેવડો ભાર પડે છે અને તે એક સાથે આટલી બધી કેલરી પચાવી શકતું નથી, જમ્યા પછી તરત જ ફળ ખાવાથી પાચનતંત્ર બગડે છે અને પેટને લગતી ઘણી સમસ્યાઓ જેમ કે અપચો, પેટ ફૂલવું, એસિડિટી, ક્રેમ્પ  અને કબજિયાત. વગેરે શક્યતા ઊભી થાય છે.

  જમ્યા પછી તરત જ ફળો ખાવાના ગેરફાયદા

જો જોવામાં આવે તો ફળોમાં ફ્રુક્ટોઝ હોય છે જે ઝડપથી પચી જાય છે, જો જમ્યા પછી તરત જ ફળો ખાવામાં આવે તો ફ્રુક્ટોઝ ઝડપથી પચી જાય છે.  ખોરાક  પચવામાં થોડી  તકલીફ પડે છે. એવું કહેવાય છે કે, જમ્યા પછી તરત જ ખોરાક ખાવાથી શરીરમાં ઘણા પ્રકારના ટોક્સિન્સ એકઠા થાય છે. તેની અસર પેટની સાથે ત્વચા પર પણ જોવા મળે છે.

ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે

આના પર નિષ્ણાતો કહે છે કે, જમ્યાના થોડા સમય પહેલા કે પછી ફળો ખાઇ શકાય છે.  એટલે કે બપોરે 10 થી 12 વાગ્યાની વચ્ચે ફળ ખાવાનો યોગ્ય સમય છે. આ સમયે તમે આરામથી ફળો ખાઈ શકો છો અને તેનાથી  શરીરને તેમાંથી સંપૂર્ણ પોષણ મળશે. ફળો સાંજે પણ ખાઈ શકાય છે, આ સમય ચારથી સાત વાગ્યાનો હોઈ શકે છે. જો તમે દિવસના 11 વાગ્યાની આસપાસ ફળો ખાઓ છો, તો આપની ચટરપટર ખાવાની ભૂખ પણ શાંત થઈ જાય છે અને ફળો દ્વારા તમને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર પણ મળે છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget