શોધખોળ કરો

ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના કરવી આ ભૂલો, આંખોની રોશની થઇ શકે છે ઓછી

ડાયાબિટીસ ફક્ત તમારા બ્લડ સુગરના લેવલને પ્રભાવિત કરતું નથી. તે આંખો સહિત શરીરના અન્ય ઘણા અવયવોને પણ અસર કરી શકે છે

ડાયાબિટીસ ફક્ત તમારા બ્લડ સુગરના લેવલને પ્રભાવિત કરતું નથી. તે આંખો સહિત શરીરના અન્ય ઘણા અવયવોને પણ અસર કરી શકે છે. ડાયાબિટીસને કારણે આંખને થતું નુકસાન અટકાવવા માટે તમે શું કરી શકો? આજે આપણે અહીં વિગતવાર સમજાવીશું. ડાયાબિટીસ ફક્ત સ્વાસ્થ્ય સમસ્યા નથી. આ એક ગંભીર રોગ છે જે શરીરના ઘણા ભાગોને અસર કરે છે. જેમાં આંખોનો પણ સમાવેશ થાય છે.

ડાયાબિટીસને કારણે થતી આંખની સમસ્યાઓમાં સામેલ છે

ડાયાબિટીસ શરીરમાં સુગરના સ્તરને વધારે છે જે ઘણી સમસ્યાઓનું કારણ બને છે. જેના કારણે વધુ પડતી ભૂખ અને તરસ, વારંવાર પેશાબ, થાક અને મૂડ સ્વિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. અન્ય ગંભીર કિસ્સાઓમાં, લોહીમાં સુગરના સ્તરમાં વધારો ગંભીર હૃદય રોગ, કિડની નિષ્ફળતા અને નસોમાં બ્લડ સર્કુલેશનને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક લોકોમાં ડાયાબિટીસમાં વધારો આંખો પર ખરાબ અસર કરી શકે છે. જેમાં ઓછી દ્રષ્ટિ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

ડાયાબિટીસને કારણે આંખના ગંભીર રોગો

ડાયાબિટીસને કારણે રેટિનામાં નાની રક્તવાહિનીઓને નુકસાન થવા લાગે છે જે આંખો પર ખરાબ અસર કરે છે. પરિણામે ડાયાબિટીક રેટિનોપેથી નામની સમસ્યા શરૂ થાય છે. સમય જતાં લોહીમાં સુગરનું સ્તર વધી જવાથી આંખની ચેતા નબળી પડી શકે છે, ડૉ. ભસીન જણાવે છે કે રક્તસ્ત્રાવ થઈ શકે છે, જે રેટિનામાં ઓક્સિજનનો પુરવઠો ઘટાડી શકે છે. તે આંખની અન્ય સમસ્યાઓ પણ તરફ દોરી શકે છે.

ડાયાબિટીક મેક્યુલર એડીમા (DME): રેટિના (મેક્યુલા) ના મધ્ય ભાગમાં સોજો. ઝાંખી દ્રષ્ટિનું કારણ બને છે

મોતિયા: ડાયાબિટીસ મોતિયાનું જોખમ વધારે છે, જે આંખના લેન્સને ધૂંધળું બનાવે છે અને દ્રષ્ટિને નબળી પાડે છે.

ગ્લુકોમા: ડાયાબિટીસના દર્દીઓ ગ્લુકોમાની ફરિયાદ કરવાનું શરૂ કરે છે. જે ઓપ્ટિક ચેતાને નુકસાન પહોંચાડે છે અને કાયમી દ્રષ્ટિ ગુમાવી શકે છે. 2020માં અંદાજિત 103.12 મિલિયન પુખ્ત વયના લોકોને ડાયાબિટીક રેટિનોપેથી (DR) હતી, અને 2045 સુધીમાં આ સંખ્યા વધીને 160.50 મિલિયન થવાનો અંદાજ છે. જર્નલ ઓફ ઓપ્થેલ્મોલોજીમાં પ્રકાશિત 2021ના અભ્યાસમાં આ જાણકારી આપવામાં આવી છે.

ડાયાબિટીસ સંબંધિત આંખની સમસ્યાઓ ઘણીવાર ધીમે ધીમે વિકસે છે અને સ્થિતિ વધુ ખરાબ થાય ત્યાં સુધી લક્ષણો દેખાતા નથી.

ઝાંખી અથવા અસ્થિર દ્રષ્ટિ

રાત્રે જોવામાં મુશ્કેલી

દ્રષ્ટિના ક્ષેત્રમાં બ્લેક ફોલ્લીઓ અથવા ફ્લોટર

પ્રકાશ પ્રત્યે વધેલી સંવેદનશીલતા

પ્રિસ્ક્રિપ્શન ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સમાં વારંવાર ફેરફાર

રંગો ઝાંખા પડવા

આંખોમાં દુખાવો અથવા દબાણ (ગ્લુકોમાનું સંભવિત સંકેત)

ડાયાબિટીસના દર્દીઓએ કેટલી વાર આંખોની તપાસ કરાવવી જોઈએ?

ડાયાબિટીસના દર્દીઓ માટે આંખોની તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ગૂંચવણોનું વહેલું નિદાન થવાથી પરિણામોમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. ટાઇપ 1 ડાયાબિટીસ: નિદાનના 5 વર્ષની અંદર અને પછી વાર્ષિક ધોરણે આંખની વ્યાપક તપાસ.

ટાઇપ 2 ડાયાબિટીસ: સારવાર દરમિયાન નિયમિત આંખની તપાસ અને પછી વર્ષમાં ઓછામાં ઓછું એક વાર.

ડાયાબિટીસ ધરાવતી સગર્ભા સ્ત્રીઓ: ડિલિવરી પહેલાં દરમિયાન અને પછી આંખની તપાસ કરાવવી કારણ કે ગર્ભાવસ્થા ડાયાબિટીક રેટિનોપેથીને વધુ ખરાબ કરી શકે છે. જોકે, નેશનલ આઈ ઇન્સ્ટિટ્યૂટ (NEI) અનુસાર, ડાયાબિટીક રેટિનોપેથી ધરાવતા કેટલાક લોકોને દર 2-4 મહિને વ્યાપક ડાયલેટેડ આંખની તપાસની જરૂર પડી શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget