શોધખોળ કરો

Health: શું ખરેખર ગર્ભાવસ્થામાં નારિયેળ પાણી પીવાથી રૂપાળું જન્મે છે બાળક?

Health: આરોગ્ય નિષ્ણાતોના મતે, બાળકની ત્વચાનો રંગ માતાપિતાના આનુવંશિક લક્ષણો, જેને જેનેટિક કહે છે તેના પર આધાર રાખે છે. જે શરીરમાં મેલાનિનનું પ્રમાણ નક્કી કરે છે કે બાળકની ત્વચા ગોરી હશે કે કાળી.

Health:ગર્ભાવસ્થા એ કોઈપણ સ્ત્રી માટે ખૂબ જ ખાસ સમય માનવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન, માતા તેના આહાર અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે. જોકે, આ સમય દરમિયાન, સ્ત્રીઓ ઘણીવાર સામાજિક માન્યતાઓમાં વિશ્વાસ કરે છે. આવી જ એક માન્યતા એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું થાય છે. આ જ કારણ છે કે ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન વધુ નાળિયેર પાણી પીવાનું શરૂ કરે છે, તે જાણ્યા વિના કે આ દાવો સાચો છે કે નહિ, તો શું નાળિયેર પાણી ખરેખર બાળકની ત્વચાનો રંગ બદલી શકે છે. તો, ચાલો આજે તમને જણાવીએ કે, શું દરરોજ નાળિયેર પાણી પીવાથી ખરેખર ગોરું બાળક થાય છે અને આમાં કેટલી સત્યતા છે.

શું નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું બને છે?

આરોગ્ય નિષ્ણાતોના મતે, બાળકની ત્વચાનો રંગ સંપૂર્ણપણે માતાપિતાના આનુવંશિક લક્ષણો જેનેટિક પર  આધાર રાખે છે. શરીરમાં મેલાનિનનું પ્રમાણ નક્કી કરે છે કે બાળકની ત્વચા ગોરી હશે કે કાળી. તેથી, જો શરીરમાં મેલાનિન વધુ હશે, તો બાળક કાળી ચામડીનું હશે, જ્યારે જો મેલાનિન ઓછું હશે, તો બાળક ગોરી ચામડીનું હશે. તેથી, ગર્ભાવસ્થા દરમિયાન તમે નાળિયેર પાણી પીઓ, નાળિયેર ખાઓ, કે કેસર દૂધનું સેવન કરો, તે બાળકના રંગને બિલકુલ અસર કરતું નથી. હકીકતમાં, વૈજ્ઞાનિક રીતે કોઈ પણ ખોરાક કે પીણું ત્વચાના રંગને અસર કરતું  નથી.

યુટ્યુબ વીડિયોના દાવા અને ડોકટરોના મંતવ્યો

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થયા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું બને છે. આ વિડીયોમાં વારંવાર દાવો કરવામાં આવે છે કે, ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના દરમિયાન નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું થાય છે. જો કે, ઘણા ડોકટરોએ આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ડોકટરો માને છે કે, નાળિયેર પાણીનો બાળકના રંગ સાથે કોઈ સંબંધ નથી. ડોકટરો કહે છે કે કોઈ પણ પોષક તત્વો બાળકની ત્વચાનો રંગ બદલી શકે છે તે સૂચવવા માટે કોઈ તબીબી પુરાવા નથી.

શું ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવું યોગ્ય છે?

ભલે નાળિયેર પાણી પીવાથી બાળકનો રંગ બદલાતો નથી, નાળિયેર પાણી ચોક્કસપણે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નાળિયેર પાણીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં, ઉર્જા પ્રદાન કરવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. ગરમી, ઉલટી અને ડિહાઇડ્રેશન માટે પણ નાળિયેર પાણી ખૂબ ફાયદાકારક છે. જો કે, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ નાળિયેર પાણી પીવું જોઈએ. કારણ કે નાળિયેર પાણીમાં કુદરતી ખાંડ અને પોટેશિયમ હોય છે જે સગર્ભા સ્ત્રીઓમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરને વધુ વધારી શકે છે.

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget